પોરબંદર માચ્છીમાર બોટ એસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

  • August 24, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષસ્થાને શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનની  વાર્ષિક સાધારણ સભા  જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષસ્થાને શ્રી પોરબંદર માછીમાર બોટ એસોસીએશનની  વાર્ષિક સાધારણ સભા  જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ, તેમા બોટ માલિકોનાં વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં ગત વર્ષ ૨૦૨૩-૨૪ નો વાર્ષિક અહેવાલ બોટ માલિકને રજુ કરવામાં આવેલ હતો તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રમુખ મુકેશભાઈ પાંજરીનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ અને નવી કાર્યવાહક સમિતિની જાહેરાત કરવામાં આવેલ હતી.



માછીમારી કરતી ફીશીંગ બોટો ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગનાં પરિપત્ર મુજબ તા. ૧૫/૮ થી માછીમારી કરવા માટે દરિયામાં મોકલવામાં આવેલ તે બોટો માછીમારી કરીને પરત આવે ત્યારે માછલીઓના સારા ભાવ મળી રહે તે માટે એક્ષ્પોર્ટર સાથે થયેલ ચર્ચાની રજુઆત કરેલ હતી.તેમજ છેલ્લા ૧૦ વર્ષથી માચ્છીમારી વ્યવસાયમાં મંદિનું ગ્રહણ લાગવાથી માચ્છીમારી કરતી ફિશીંગ બોટોને નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે અને બોટ માલિકોએ તેમની બોટ અને માચ્છીમારી વ્યવસાય કેવી રીતે ચલાવવો તેમની સતત ચિંતાઓ થતી હોય છે, જે બોટ માલિકો તેમની બોટો માચ્છીમારીના અભાવે ચલાવી ન શકતા હોય તેવા બોટ માલિકોએ બેંકો તેમજ વેપારીઓ પાસે તેમજ અન્ય લોકો પાસેથી લોન પેટે પૈસા લઈને તેમનો વ્યવસાય ચલાવવા મજબુર હોય, પરંતુ દરિયાઇ પોલ્યુશનનાં કારણે આવી અનેક નાની મોટી બોટ ધારકો કર્જના બોજ નીચે દબાઈ જવાનાં કારણે તેમના પરિવારોનું ગુજરાન ચલાવવુ/બાળકોને અભ્યાસ કરાવવા જેવી અનેક સમસ્યાઓ સાથે સંકડાયેલ જતા હોય છે અને સતત ને સતત આવી પરિસ્થિતીના કારણે જે પરેશાનીઓ વધતી જતી હોય છે,તે પરેશાનીઓમાંથી ઉગળવા માટે આ વાર્ષિક સાધારણ સભા (જનરલ મીટીંગ)માં ઉપસ્થિત માચ્છીમાર આગેવાનો દ્રારા અનેક રસ્તાઓ કાઢવા માટે પોતપોતાનો વક્તવ્ય રજુ કરેલ હતું અને આવનારા દિવસોની અંદર માચ્છીમારો અને બોટ માલિકોની સ્થિતીમાં સુધારો આવે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી અને તેમના માટે નવા આયોજનો કરી સરકારમાં રજુઆતો કરીને માચ્છીમારોનાં વિકાસ માટે સરકારમાં જે અન્ય ઉદ્યોગોને લાભ આપવામાં આવે છે.



 જેમકે જમીન ખેડુને લાભો આપવામાં આવે છે તેવી જ રીતે સાગર ખેડુઓને સરકારની યોજનાના લાભો અને સહાયો કરવામાં આવે તેમનાથી માચ્છીમારી વ્યવસાયને પુરતો વેગ મળે અને બોટો પાર્કીંગ માટે જુનાબંદરને લગતી માપલાવારી વિસ્તારમાં બોટ પાર્કિંગ માટે નવી જેટીનું કામ ચાલતું હોય તેમનું કામ વહેલીતકે પુર્ણ થવા જઈ રહ્યું છે,તેમનાથી માચ્છીમારી કરીને આવેલી ફિશીંગ બોટોને તેમની માછલીઓ ઉતારવા માટે વ્યવસ્થા થઈ શકે અને તેમની માછલીઓનાં ભાવ સારા મળી શકે તે માટે આયોજન કરવામાં આવશે તેમજ બંદરને લગતા નાના મોટા પ્રશ્નો અંગે માછીમાર બોટ માલિકો દ્રારા તેમના મંતવ્યો આપેલ હતા.


આ મીટીંગમાં શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં વાણોટ પવનભાઈ શિયાળ,ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ જુંગી,તેમજ પંચપટેલો, ટ્રસ્ટીઓ, શ્રી પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ ગોહેલ તેમજ કમિટિ સભ્યઓ, નગરપાલિકાના ઉપપ્રમુખ મનિષભાઈ શિયાળ, ખારવા સમાજ પુર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ,માચ્છીમાર બોટ એસોસીએશન પુર્વ પ્રમુખો નરશીભાઈ જુંગી, અશ્વિનભાઈ જુંગી, ભરતભાઈ મોદી, સપ્લાયર્સ એસોસીએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધના પ્રમુખ વિનોદભાઈ કોટિયા સહિતના મહાનુભાવો અને ખુબ જ મોટી સંખ્યામાં બોટ માલિકો ઉપસ્થિત રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application