જામનગરનાં જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.કે.એસ.મહેશ્વરીને IMAનો પ્રતિષ્ઠિત 'નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિશિએશન એવોર્ડ' એનાયત થવાની ઘોષણા

  • December 23, 2023 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનાં જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.કે.એસ.મહેશ્વરીને ઇન્ડીયન મેડીકલ એસોસીએશનનો પ્રતિષ્ઠિત 'નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિશિએશન એવોર્ડ' એનાયત થવાની ઘોષણા થતા તબીબી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નગરનાં ગૌરવમાં વધારો થયો છે.

કેરળનાં તિરૂવનંતપુરમમાં તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમ્યાન ઇન્ડીયન મેડીકલ એસોસિએશનની સેન્ટ્રલ કાઉન્સિલની ૮૪ મી નેશનલ કોન્ફરન્સ યોજાશે.જેમાં દેશભરનાં પ્રખ્યાત તબીબો ઉપસ્થિતિ રહેશે.જે અંતર્ગત ૨૭ ડિસેમ્બરે ડો.કે.એસ.મહેશ્વરીને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. 
​​​​​​​

ઉલ્લેખનીય છે કે ડો.કે.એસ.મહેશ્વરી આ પૂર્વે પણ અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનાં પુરસ્કારોથી સન્માનીત થઇ ચૂક્યા છે. તેમણે ગોઠણ બચાવાનાં ઓપરેશન 'એચ.ટી.ઓ.' નાં ૧૮૦૦ થી વધુ સફળ ઓપરેશન કરી  દર્દીઓનાં ગોઠણ બદલાવ્યા વગર તેમને રોજીંદા નવજીવનની ભેટ આપી છે. ઉપરાંત અનુભવ અને આગવી સૂઝનાં આધારે થાપાનાં હાડકાનાં ફ્રેકચરનાં ઓપરેશનને સરળ બનાવતી પ્લેટ 'મહેશ્વરી જિગ્સ' ડિઝાઇન કરી તેની પેટન્ટ મેળવી છે.પ્રસિદ્ધ રામકથાકાર પૂ.મોરારીબાપુ પ્રેરીત વિવિધ કેમ્પ સહિત સ્થાનિક તંત્ર સાથે પણ વિવિધ આરોગ્ય અને પ્રજાલક્ષી  કેમ્પ તથા વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રદાન સાથે ઓર્થોપેડીક ક્ષેત્રે દાયકાઓથી પ્રતિબદ્ધતાથી કાર્યરત ડો.કે.એસ.મહેશ્વરીની દિર્ધકાલીન સેવાઓને ધ્યાને લઇ તેમને આઇ.એમ.એ. નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થવાનો છે જેને પગલે સ્થાનિક ઉપરાંત દેશભરનાં તબીબી જગત દ્વારા તેમનાં પર અભિનંદન વર્ષા થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application