ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો અનુસાર નગર રચના અધિકારી,નગર નિયોજક-૧ દ્વારા રૈયા યોજના અંગેના બીજા ફેરફાર સાથે નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. જેના ઉતારા દરેક મિલકત માલિકોને પહોંચાડવામાં આવશે. આ નિર્ણયો અંગે અસંતોષ થયો હોય તેવા હિત ધરાવતી વ્યક્તિઓ કે માલિકોને ઉતારાની નકલ મળ્યે એક માસની અંદર અપીલ કરવાની રહેશે.
અપીલ માટે પ્રમુખ, બોર્ડ ઓફ અપીલ, બોર્ડ ઓફ અપીલની કચેરી, c/o મુખ્ય નગર નિયોજકની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે ચ-૩, ક્રોસ રોડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ અપીલના મેમોરેન્ડમની મૂળ નકલ પર લગાવી, ત્રણ નકલમાં લેખિત અરજી કરી શકાશે.
રૈયા આખરી યોજનાની સંપૂર્ણ માહિતી નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીની કચેરી, નગર નિયોજક-૧, રાજકોટ નગર રચના યોજના, આર.એમ.સી.મલ્ટી એકટીવિટી સેન્ટર, પ્રથમ માળ, નાનામવા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન નિરીક્ષણ માટે રાખવામાં આવેલ છે જેની હિત સંબંધિત વ્યક્તિઓએ નોંધ લેવા નગર રચના અધિકારી નગર નિયોજક-૧એ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાર્ટ એટેકથી યુવક અને પ્રૌઢનું મૃત્યુ
March 31, 2025 03:08 PMવેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
March 31, 2025 03:07 PMચૈત્રી નવરાત્રિના પ્રારંભે ખોડીયાર સહિતના મંદિરોમાં ભાવિકો ઉમટ્યા
March 31, 2025 03:06 PMવકફ બિલ લાવવાની તૈયારી: 2 એપ્રિલે લોકસભામાં થઈ શકે રજૂ
March 31, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech