ખાલી પડેલી જગ્યા માટે ત્રીજા રાઉન્ડની વહેલીતકે કરો જાહેરાત

  • June 06, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં આર.ટી.ઇ. યોજના હેઠળ ખાલી પડેલી જગ્યા માટે ત્રીજા રાઉન્ડની વહેલીતકે  જાહેરાત કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે કારણકે ૧૦૦ જેટલી બેઠક  હજુ ખાલી હોવાનું જાણવા મળ્યુ છે.
કેન્દ્રની ભૂતપૂર્વ સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે (આર.ટી.ઇ.) મૂળભૂત અધિકાર શિક્ષણનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેમાં ૨૫% વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં આપવું, આર.ટી.ઇ. ની પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધીમાં ફોર્મ ભરવાની હોય છે, જૂનના પહેલા પખવાડિયા સુધીમાં બધા વિદ્યાર્થીઓને પ્રક્રિયામાં પ્રવેશ આપવાનો થતો હોય છે.



     શાળામાં થોડા દિવસોમાં પહેલા સત્રની શ‚આત થવાની હોય પરંતુ હજુ સુંધી આર.ટી.ઇ. માં ખાલી પડેલ જગ્યા ભરવામાં નથી આવી, તેમના માટે ૩ રાઉન્ડની જહેરાતની વાલીઓ રાહ જોઇને બેઠા છે. કેમકે ઘણા વાલીઓએ પોતાના બાળકોનું ભવિષ્ય બગડે નહિ તેથી જે તે શાળાઓમાં પ્રવેશ લીધેલ હોય ત્યારે હવે તેમને જો આર.ટી.ઇ. ના ત્રીજા રોઉન્ડમાં તે વિદ્યાર્થીનું નામ આવ્યું હોય તો તે વિદ્યાર્થીનું શું ?? પોતાની પસંદગીની સ્કુલમાં તે વિધાર્થીનું  આર.ટી.ઇ. યોજના અંતર્ગત નામ આવે તો સારુ નહિ તો અન્ય સ્કુલમાં તે વિધાર્થીનું નામ આવ્યું તો જે તે સ્કુલમાં પ્રવેશ મેળવેલ છે તે સ્કુલ આમને ફી પરત કરશે ખરી ?? ઘણા વાલીઓ એ આશા પણ બેઠા છે કે તેમના બાળકનું નામ આવતા રાઉન્ડમાં  આર.ટી.ઇ. યોજનામાં આવી જશે જેથી તેમણે હજુ સુધી તેમના બાળકની પહેલા ધોરણમાં કોઇ સ્કુલમાં જાણ અથવા તો પ્રવેશ પણ મેળવ્યો નથી, 



આ બાબતની આજ રોજ વાલીઓ દ્વારા વિધાર્થી નેતા કિશન રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી જેમની રજૂઆત સાંભળી વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને પત્ર‚પે રજૂઆત કરવામાં આવી હતી તેમજ  આર.ટી.ઇ.યોજનામાં ખાલી પડેલ જગ્યા માટે ત્રીજા રાઉન્ડની જાહેરાત વહેલી તકે કરવામાં આવે જેથી કરી આ યોજનાનો લાભ વધુ વિધાર્થીઓ લઇ શકે.



  આર.ટી.ઇ.   ના ૧  ૨ રાઉન્ડના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ૧ પહેલા રાઉન્ડમાં ૬૨૮ જગ્યા માટે વિધાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેમની સાથે પ૬૫ વિધાર્થીઓએ જ સ્કુલોમાં જઇ પોતાની સ્કુલ પસંદ કરી હતી ૬૩ જેટલી જગ્યા પહેલા રાઉન્ડમાં પસંદ કરાઇ ના હતી જેથી તે જગ્યા ખાલી રહી હતી, તેમની સામે  આર.ટી.ઇ. ના બીજા રાઉન્ડમાં તે ખાલી પડેલ ૬૩ જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી તેમાં પણ ૩૫ વિધાર્થીઓ જ પોતાની પસંદગી સ્કુલમાં પ્રવેશ મેળવવા પ્રક્રિયા હાથ ધરી હતી, તેમા પણ હજુ ર૮ જગ્યા ખાલી પડેલ હતી. તેમ બન્ને રાઉન્ડની ગણતરી કરીએ તો અંદાજિત પહેલા ૨ રાઉન્ડમાં ૬૦૦ જેટલી  આર.ટી.ઇ.યોજના અંતર્ગત સીટો ભરાઇ હતી. 


અંદાજિત ૭૦૦ જેટલી સીટો લગભગ  આર.ટી.ઇ.યોજના અંતર્ગત ફાળવાઇ છે તો બાકી ની સીટો માટે ક્યારે રાઉન્ડ બહાર પડાશે તેવા સવાલો વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા કરવામાં આવ્યા હતા. 
થોડા દિવસોમાં સત્રની પણ શ‚આત થવાની હોય તો શું આ  આર.ટી.ઇ.યોજના અંતર્ગત જે જગ્યાઓ ખાલી પડેલી છે તે ખાલી જ રાખવાની છે ?? તેમના માટે ક્યારે ત્રીજા રાઉન્ડની જાહેરાત થશે ?? વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા પત્ર‚પે માંગ કરાઇ હતી કે તાત્કાલિક ધોરણે આર.ટી.ઇ. માં ખાલી પડેલ જગ્યા માટે ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવે અને તમામ જગ્યા પર બાળકોને પ્રવેશ અપાવી યોગ્ય અમલવારી કરાવે. તેવી માંગણી કિશન રાઠોડ દ્વારા થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application