બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ હજી પણ ચર્ચામાં છે. એનિમલ મૂવીને ઘણા લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે આ દરમિયાન, રણબીર કપૂરની 'એનિમલ' ફિલ્મ કાનૂની મુશ્કેલીમાં ફસાયું છે. દિલ્હી હાઈકોર્ટે ટી સીરીઝ અને નેટફ્લીક્સ ઈન્ડિયાને સમન્સ મોકલ્યા છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ ‘એનિમલ’ વિશેની ચર્ચાઓ અટકી રહી નથી. એક તરફ, આ ફિલ્મ ઘણા લોકોને પસંદ આવી હતી અને બ્લોકબસ્ટર બની હતી. તે જ સમયે, કેટલાક લોકોએ ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસા અને કેટલાક સંવાદો પર સવાલ ઉઠાવ્યા છે. હવે આ દરમિયાન, રણબીર કપૂરની ફિલ્મ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે.
‘એનિમલ’ એ 3 કલાક 21 મિનિટ લાંબી ફિલ્મ છે જે 1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ સાથે પાસ કરી હતી. એક અહેવાલ મુજબ, ફિલ્મ એનિમલના સહ-નિર્માતા સિને1 સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલા મુકદ્દમાના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે ટી-સીરીઝ અને નેટફ્લિક્સ ઈન્ડિયાને સમન્સ પાઠવ્યું છે. મુકદ્દમો કોઈપણ સ્ટ્રીમિંગ અથવા સેટેલાઇટ પ્લેટફોર્મ પર જ્યાં સુધી તેમના દાવાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝને અવરોધિત કરવા અંગે છે.
પર કોન્ટ્રાક્ટ સંબંધિત કેટલીક બાબતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, ટી સીરીઝ પર ઈન્ટરનેટ અધિકારો માટે સેટેલાઈટ અધિકારો માટે કરારોની વિગતો શેર કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટી-સિરીઝનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અમિત સિબ્બલે આ તમામ દાવાઓને રદિયો આપ્યો હતો. તે કહે છે કે ઓગસ્ટ 2002ના કરારમાં, સિને1 એ રૂ. 2.6 કરોડમાં તમામ વ્યુત્પન્ન અધિકારો છોડી દીધા હતા.
જસ્ટિસ સંજીવ નરુલાની કોર્ટે આ કેસ સ્વીકારી લીધો છે અને બંને પ્રતિવાદીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે બંનેને લેખિત નિવેદનો અને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 15મી સુધીમાં તમામ પ્રકારના પુરાવા રજૂ કરવા પણ જણાવાયું છે. જે બાદ આ મુદ્દે પછીની તારીખે નિર્ણય લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech