માંડાસણમાં આંગણવાડી મહિલા કાર્યકર ઊપર પતિ દ્વારા જીવલેણ હુમલો

  • October 05, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના માંડાસણ ગામમાં રહેતા એક આંગણવાડી કાર્યકર પર આજે સવારે તેણીના પતિ એ કોઈ બાબતથી ઝઘડો કર્યા પછી તલવાર જેવા હથિયાર થી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. લોહીલુહાણ હાલત માં આ મહિલા ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને પુછપરછ કરી હતી.


જામજોધપુર તાલુકાના માંડાસર ગામમાં રહેતા એક મહિલા પર આજે સવારે તેણીના પતિએ કોઈ બાબતથી ઉશ્કરાઈને તલવાર કે તેવા તિક્ષણ હથિયારથી હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી.


લોહીલુહાણ બની ગયેલી આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મહિલા આંગણવાડીમાં ફરજ બજાવતા હોવા નું  જાણવા મળી રહ્યું છે. બનાવ ની જાણ થતા  જામજોધપુર નો પોલીસ કાફલો દોડી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application