જામનગરમાં અંધાશ્રમ નજીક ની રેલવે લાઈન પર ચાલીસેક વર્ષની વયનો અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાયો છે. પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો સંભાળી ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી રેલ્વે લાઇન પર સોમવારે બપોરે આશરે ૪૦ વર્ષનો એક અજાણ્યો પુરુષ કપાઈ જતાં તેનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે રાજીવ નગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ એચ. એ. પીપળીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અજ્ઞાત યૂવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલમાનનું સ્તર અલગ, આમીર મજાનો, શાહરૂખ જીદ્દી
April 29, 2025 12:33 PMઉદ્યોગોએ તેજી પકડી, માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો
April 29, 2025 12:32 PMસૌની યોજનાનો લાભ જામજોધપુર તાલુકાના બધા જ ગામોને આપો
April 29, 2025 12:28 PMખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપી, મારી નાખવાની ધમકી આપતા સાસરીયાઓ સામે ફરિયાદ
April 29, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech