અંધાશ્રમ ફાટક પાસે અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાયો

  • September 17, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અંધાશ્રમ નજીક ની રેલવે લાઈન પર ચાલીસેક વર્ષની વયનો અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાયો છે. પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો સંભાળી ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી રેલ્વે લાઇન પર સોમવારે બપોરે આશરે ૪૦ વર્ષનો એક અજાણ્યો પુરુષ કપાઈ જતાં તેનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે રાજીવ નગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ એચ. એ. પીપળીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અજ્ઞાત યૂવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application