જામનગરમાં અજાણ્યા આધેડનું બ્રેઇન હેમરેજથી મોત

  • July 30, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસની તજવીજ


જામનગરમાં બેભાન અવસ્થામાં મળી આવેલા અજાણ્યા આધેડનું જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.


જામનગરના નિલકમલ સોસાયટીના ખુણા પરથી ગત તા. 22-7-24ના સમય દરમ્યાન 50 વર્ષના એક અજાણ્યા પુષ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને 108 મારફત જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમને બ્રેઇન હેમરેજ હોવાના કારણે ભાનમાં આવેલ નહી દરમ્‌યાન સારવારમાં તેમનું મૃત્યુ નિપજયુ છે. આ અંગે જી.જી. હોસ્પીટલના તબીબ દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે મૃતકની ઓળખ મેળવવા સહીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application