ટીવી સિરિયલો અથવા ફિલ્મોમાં જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે ત્યારે તે વ્યક્તિને તેની અંતિમ ઈચ્છા વિશે પૂછવામાં આવે છે. આ કાયદો લગભગ દરેક દેશમાં છે. જો કે ઘણી વખત એવું બને છે કે કેદીઓ ઉલ્ટું-સીધું કંઈ પણ માંગી લે છે. એવી જ એક વાત લોકોમાં ચર્ચાઈ રહી છે. જ્યાં એક કેદીએ મરતા પહેલા અજીબ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના વિષે જાણીને ખૂબ જ નવાઈ લાગશે.
વાત છે અમેરિકાના રહેવાસી વિક્ટર હેરી ફેગરની, જેને 1968માં મોતની સજા આપવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, જે સમયે તેને સજા સંભળાવવામાં આવી ત્યારે વિક્ટર 28 વર્ષનો હતો અને તેને આ સજા એક ડોક્ટરની હત્યા માટે મળી હતી. આ પછી તેને મૃત્યુદંડની સજા મળી. ફેગ્યુરે તેના છેલ્લા ભોજન માટે એક ઓલિવ માંગ્યું હતું, જેની અંદર બીજ હોય. એવું માનવામાં આવે છે કે ફેગ્યુરે ફક્ત ઓલિવ ખાધું હતું કારણકે તેને આશા હતી કે જ્યારે તેને દફનાવવામાં આવશે ત્યારે તેમાંથી એક ઓલિવનું વૃક્ષ ઉગશે છે. જે લોકો માટે શાંતિનું પ્રતિક ગણાશે.
તેને મોતની સજા કેમ મળી?
એક રેકોર્ડ અનુસાર અમેરિકન વ્યક્તિ વિક્ટર હેરી ફેગરને એક ખાસ પ્રકારની દવાની જરૂર હતી. જેના માટે તેણે યલો પેજીસ પરથી ડો.એડવર્ડ બાર્ટલ્સનો સંપર્ક ઉપાડ્યો હતો અને તેને દર્દી તરીકે દર્શાવીને નકલી સરનામે બોલાવ્યો હતો. જે બાદ તેણે ડોક્ટરનું અપહરણ કર્યું અને તેમ છતાં ડોક્ટરે તેને આ દવા આપવાની ના પાડી ત્યારે તેણે ડોક્ટરની હત્યા કરી નાખી.
આ ગુનાના થોડા દિવસો પછી વિક્ટર પોલીસથી બચવા માટે ડૉક્ટરની કારનો ઉપયોગ કરતો રહ્યો અને અંતે તે એફબીઆઈના હાથે ઝડપાઈ ગયો અને હત્યાના તમામ પુરાવા તે કારમાં હાજર હતા. આમ છતાં તે પોતાને નિર્દોષ ગણાવતો હતો. ઘણી અપીલો પછી આખરે તેને 1968 માં દોષી ઠેરવવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech