શહેરના ટોપથ્રી સર્કલ નજીક સામાન્ય બાબતે વૃદ્વને બે શખ્સોએ માર માર્યો

  • September 30, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ટોપ-થ્રી સર્કલ પાસે આવેલા તુલસી કોટેજમાં રહેતા એક વૃદ્ધને તેના ઘરેથી કાઠલો પકડી પાનના ગલ્લે લઇ જવામાં આવ્યાં બાદ તેમને એક્ટીવાના લોકમાં કોણે એમસીલ નાંખ્યું છે ? તેમ પુછી એક શખ્સે બે થી ત્રણ લાફા મારી દીધા હતા તો બીજા શખ્સે ગાળો આપી હતી. દરમિયાનમાં વૃદ્ધના બે દિકરા આવી જતાં આ બન્નેને પણ આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભરતનગર પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.  પોપટભાઈ જગજીવનભાઈ સિદ્ધપુરા (ઉ.વ.૭૨)એ નોંધાવેલી ફરિયાદમાં દેવુભા અને ઋષીભાઈ એ ગઇકાલે રાત્રે ફરિયાદી તેમજ તેમના પત્નિ ઘરે હતા તે સમયે બે અજાણ્યા સ્ટે શખ્સ આવ્યાં હતા અને તેઓ ફરિયાદીનો કાઠલો પકડી તેમને રજવાડી પાનના ગલ્લા પર લઇ ગયા હતા અને ત્યાં આગળ આરોપી દેવુભાએ વૃદ્ધને આ એક્ટીવાના લોકમાં એમસીલ કોણે નાંખ્યું છે ? તેમ પુછતા ફરિયાદીએ મને નથી ખબર તેમ કહેતા આરોપી દેવુભાએ વૃદ્ધને બે ત્રણ લાફા મારી દીધા હતા અને આરોપી ઋષીભાઇએ વૃદ્ધને ગાળો આપી હતી. દરમિયાનમાં વૃદ્ધના બે દિકરાને બનાવની જાણ થતાં તેઓ દોડી આવતા બન્ને આરોપીઓએ તેમને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ બન્ને આરોપીઓ સ્થળ પરથી જતા રહ્યાં હતા. આ બનાવ અંગે વૃદ્ધે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application