ગોપ નજીક બિમારીથી કંટાળી વૃઘ્ધે ટ્રેન હેઠળ પડતુ મુકયુ

  • May 17, 2025 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
જામનગર-પોરબંદર હાઇવે ધારાગઢ ફાટક તરીકે ઓળખાતી ગોપ નજીક ગઇકાલે એક વૃઘ્ધે કેન્સરની બિમારીથી કંટાળીને ટ્રેન હેઠળ પડતુ મુકી આત્મહત્યા કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

ભાણવડના શિવા ગામના વતની અને હાલ વેરાડ વાડી વિસ્તારમાં રહેતા અરશી રામભાઇ રાવલીયા (ઉ.વ.૬૨) નામના વૃઘ્ધને છએક માસથી લીવરના કેન્સરની બિમારી હોય અને તેની સારવાર રાજકોટ સરકારી હોસ્પીટલમાં ચાલુ હતુ બિમારીના કારણે પીડા અનુભવતા હતા, દરમ્યાન બિમારીથી કંટાળીને ગઇકાલે ધારાગઢ ફાટક તરીકે ઓળાખતા અને ગોપ નજીક પોતાની મેળે રેલ્વે ટ્રેક પર જઇને ટ્રેન આડે પડી જતા ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું. આ અંગે વેરાડ વાડી વિસ્તારમાં રહેતા કપિલ અરશીભાઇ રાવલીયાએ જામજોધપુર પોલીસમાં જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application