અમેરિકાના અખબાર ’ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં વિક્રમ યાદવ નામના રોના અધિકારી પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતો અને આ પગલાને ભારતીય જાસૂસી સંસ્થાના તત્કાલીન વડા સામંત ગોયલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ ગંભીર મામલો છે અને આરોપો પાયાવિહોણા છે.
બીજી તરફ, વ્હાઇટ હાઉસે કહ્યું કે ભારત અમેરિકામાં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા અંગેના આરોપોને ગંભીરતાથી લઈ રહ્યું છે. જો કે, તેમણે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ) દ્વારા કરવામાં આવેલી તપાસ અને આ મામલે ન્યાય વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી કેસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જ્યારે ’ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સમાચાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને ન્યાય વિભાગ તપાસ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે ભારત યુએસ માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે અને અમે પન્નુની હત્યાના કથિત કાવતરા અંગેના તપાસ અહેવાલ પર ઘણા ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તૃત કરવા માટે મહત્વાકાંક્ષી કાર્યસૂચિને અનુસરી રહ્યા છીએ. આ અંગે ચચર્િ કરી અને ઘણી વખત અમારા મંતવ્યો વ્યક્ત કયર્,િ પછી ભલે તે અહીં વડાપ્રધાન સાથેની બેઠકમાં હોય કે વિદેશમાં કોઈ બેઠકમાં હોય. તેમણે કહ્યું, આ ગંભીર બાબત છે અને અમે તેને ગંભીરતાથી લઈશું. તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ભારત સરકારે અમને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ આને ગંભીરતાથી લઈ રહ્યા છે અને તેની તપાસ કરાવશે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમેરિકામાં પન્નુની હત્યાનું કથિત કાવતરું ગયા વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ઘાતક ગોળીબાર સાથે જોડાયેલું છે. પશ્ચિમી દેશોના અધિકારીઓના મતે તે અભિયાન પણ યાદવ સાથે જોડાયેલું હતું. વોશિંગ્ટન પોસ્ટે એ પણ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોની હત્યા કરાવવા માટેના આયોજનો થયા તેની સાથે જ કેનેડા તથા અમેરિકામાં બંને હત્યાના કાવતરા ઘડવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા 11 શીખ અથવા કાશ્મીરી અલગતાવાદીઓ દેશનિકાલમાં રહે છે અને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech