પોરબંદરમાં નિ:શુલ્ક ટિફિન સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થાને ‚પિયા ૫૧ હજારનું અપાયુ અનુદાન

  • August 21, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં હિતેશ કારીયા ટિફિન સેવા અન્નક્ષેત્રમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે દાતા દ્વારા અનુદાન આપવામાં આવ્યુ હતુ
પોરબંદર દ્વારા સર્વ જ્ઞાતિ ના વૃદ્ધ નિરાધાર અસહાય કે જેનો ભગવાન સિવાય કોઈ જ સહારો નથી તેવા વૃદ્ધો માટે ચાલતી ટિફિન સેવામાં પોરબંદરમાં પાલાવારા તરીકે જાણીતા કમલેશભાઈ સામાણીના પુત્ર વિરલ સામાણીના જન્મદિવસ નિમિત્તે  ઉજવણીમાં અન્ય કોઈ ખોટા ખર્ચા કરવાને બદલે નિરાધારવૃધ્ધોને અલગ અલગ વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ભૂખ્યા ને ભોજન કરાવતી સેવા સંસ્થા કે જે પોણા ચાર વર્ષથી અવિરત એક પણ દિવસના બ્રેક વગર કોઈપણ સારી ખરાબ સ્થિતિ પરિસ્થિતિ હોઈ કે કોઈ પણ સિઝન હોઈ કે કોઈ પણ તહેવારો માં એકપણ દિવસ બંધ રાખ્યા વિના વૃદ્ધોના ઘરે ભોજન બનાવીને પહોંચાડવામાં આવી રહ્યું છે  આ અન્નસેવા અવિરત ચાલુ રહે તેમા સહયોગ ‚પે વિરલ કમલેશભાઈ સામાણી ના જન્મદિવસ નિમિતે ૫૧,૦૦૦ એકાવન હજારનું અનુદાન ટિફિન સેવા સ્થળ રાધેશ્યામ મંદિર, રાવલિયા પ્લોટ સામે આવી મુખ્ય સંચાલક હિતેશ કારિયા ને આપેલ હતું અને સાથે વૃદ્ધ નિરાધાર ને ભોજન આપવામાં આવેલ હતું. આ તકે વિરલભાઈ સામાણીના પિતાશ્રી અને માતુશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હિતેશ કારિયા ફ્રી ટિફિન સેવા ટીમના આનંદ ચોલેરા, વિનોદ પોપટ, ગિરીશ ભુંડિયા, મનીષાબેન સોની, તારાબેન સિકોતરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કમલેશભાઈ સામાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application