જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારી એ આત્મ વિલોપનની ચીમકી આપી હતી. આથી મહાનગરપાલિકા દ્વારા પોલિસ વિભાગ ને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ માંથી પોલીસે ગઇકાલે તેની અટકાયત કરી હતી. જેને આજે મુક્ત કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા માં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા કેતન મિયાત્રા નામના કર્મચારી એ પોતાના ઉપરી અધિકારી ઓ સામે કેટલાક આક્ષેપો કર્યા હતા. અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર ને માસ મોટો ફરિયાદ કરતો પત્ર પણ પણ લખ્યો હતો. દરમિયાન શાખાના અધિકારી દ્વારા તેની ૧૦ દિવસ પહેલા પમ્પ હાઉસ થી બેડી સંપ ખાતે બદલી કરવામાં આવી હતી.પરંતુ તે નવા ફરજ સ્થળે હાજર થયો ન હતો. આ કર્મચારી રાજકોટ મા રહે છે.અને ત્યાં થી જામનગર સુધી અપડાઉન કરે છે.
આ દરમિયાન તેણે મ્યુનિ. કમિશનર ને પત્ર લખી ને આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી. જેનાં અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર જિલ્લા પોલીસવડા ને આ બાબતની લેખિત પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.આથી ગઇકાલે રાજકોટ પોલીસે તેની તેના ઘરે થી અટકાયત કરી હતી.અને આજે તેનો જમીન ઉપર છુટકારો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech