બ્રહ્મસમાજમાં શોકની લાગણી : અકળ કારણસર પગલું ભર્યુ
જામખંભાળીયા નગરપાલીકાના કર્મચારીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા બ્રહ્મસમાજ અને પાલિકાના સહકર્મીઓમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. કયા કારણસર આ પગલુ ભર્યુ એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
મળતી વિગત મુજબ જામખંભાળીયામાં શ્રી રામ મંદિર પાસે રહેતા અને નગરપાલીકાની હાઉસ ટેકસ વિભાગમાં ફરજ બજાવતા શૈલેષભાઇ રસિકભાઇ પંડયા (ઉ.વ.૫૫) એ વહેલી સવારે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા ખંભાળીયા જનરલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કરાયું હતું, નગરપાલીકાના કર્મીના અકાળે મૃત્યુના બનાવથી પાલિકા વર્તુળો અને બ્રહ્મસમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
વધુમાં મળેલી વિગત મુજબ શૈલેષભાઇ અપરણીત હતા, સૌમ્ય સ્વભાવના કારણે બહોળુ મિત્રવૃંદ ધરાવતા હતા, આત્મહત્યાનું પગલુ ભરતા મિત્ર મંડળ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ, લોહાણા સમાજ અને નગરપાલીકા અધિકારીઓ, કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે, અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વ. શૈલેષભાઇ જામખંભાળીયા નગરપાલીકાના પ્રમુખ રચનાબેન મોટાણીના કાકા થતા હતા, સ્વર્ગસ્થ શૈલેષભાઇની સ્મશાનયાત્રા આવતીકાલે સવારે ૮-૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન શ્રીરામ મંદિર ખાતેથી નીકળશે.
***
જામનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ આયખુ ટુંકાવ્યું: ઓળખ મેળવવા અને કારણ જાણવા માટે કરાતી તપાસ
જામનગરમાં વિજયનગર મેઇન રોડ પર આવેલા મકાનમાં એક અજાણ્યા યુવકે કોઇ કારણસર ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયું છે, પોલીસ દ્વારા કારણ જાણવા અને ઓળખ મેળવવા તપાસ લંબાવવામાં આવી છે.
જામનગરના જકાતનાકા નજીક વિજયનગર મેઇનરોડ ખાતે આવેલા મકાનમાં આશરે ૧૯ વર્ષના અજાણ્યા પુરુષ (છોટુ) એ કોઇ અગમ્ય કારણસર ગઇકાલે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયું છે, આ અંગે પ્રભાબેન નારણભાઇ ગાગીયાએ સીટી-સી પોલીસમાં જાણ કરી હતી, પોલીસટુકડી દ્વારા મૃતકની ઓળખ મેળવવા અને કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech