બેંકની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જનાર ખાતેદારનું ધરપકડ વોરંટ નીકળ્યું

  • August 21, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની વરતેજ શાખામાંથી સોડવદરાના રહીશ ધ્વારા એગ્રીકલ્ચર લોન મેળવી હતી જે ભરપાઈ ન કરતા કોર્ટ ધ્વારા તેમના વિરુધ્ધ ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યુ હતું.
ભાવનગરના સોડવદરા ગામે રહેતા છનાભાઈ ભાયાભાઈ ચૌહાણ ધ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વરતેજ શાખામાંથી એગ્રીકલ્ચર લોન અન્વયેની બે લોન લીધેલ જે લોનની રકમ નિયમીત રીતના ભરપાઈ ન થતા બેંક ધ્વારા રકમ વસુલ મેળવવા માટે કોર્ટમાં દાવો દાખલ કરેલ જે દાવામાં રકમ ચુકવી આપવા માટે કોર્ટની ધ્વારા હુકમ કરવા છતા કોર્ટમાં રકમ જમા ન કરાવતા બેંક ધ્વારા રકમ વસુલ મેળવવા માટે દરખાસ્ત નં. ૨૦૭/૨૦૨૨ તથા ૨૦૯/૨૦૨૨ થી અરજી દાખલ કરેલ અને તે અરજીની નોટીસ લોન લેનારને મળી જવા છતા તેઓની ધ્વારા રકમ જમા ન કરાવતા બેંકના વકીલ ધ્વારા કોર્ટમાં પકડ વોરંટ કાઢવાની અરજી આપતા કોર્ટ ધ્વારા લોન લેનાર છનાભાઈ ભાયાભાઈ ચૌહાણની સામે પકડ વોરંટ કાઢવાનો હુકમ કરેલ અને તેઓને તા. ૨૪-૯-૨૦૨૪ પહેલા પકડીને કોર્ટમાં રજુ કરવાનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application