ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા એક ભારતીયનું મોત

  • February 26, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ન્યૂયોર્કના સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લિથિયમ–આર્યન બેટરીના લીધે ભીષણ આગ લાગી ગઈ હતી જેમાં એક ભારતીય નું મોત નીપયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનામાં ૧૭ અન્ય લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૪ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આગ ઉપરના મજલે લાગી હતી આથી લોકો જીવ બચાવવા બારીઓ માંથી નીચે કુદવા લાગ્યા હતા.

ન્યૂયોર્કના હારલેમમાં એક અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે

આવી છે. આ ઘટનામાં ૨૭ વર્ષીય એક ભારતીય નાગરિકનું મોત થયું છે. મૃતકની ઓળખ ફાજિલ ખાન તરીકે થઈ છે. ભારતીય દુતાવાસ સતત ફાજિલ ખાનના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે. ભારતીય દુતાવાસે કહ્યું કે હારલેમમાં આગ લાગવાની ઘટનામાં ફાજિલ ખાનના નિધનથી દુ:ખ થયું. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટે મદદ કરી રહ્યા છીએ.આ ઘટનાને પોતાની નજરે જોનારા એન્જી રેચફોર્ડે જણાવ્યું કે આગ સૌથી ઉપર લાગી હતી, ત્યારે લોકો પોતાની જાતને બચાવવા માટે બારીની બહાર કુદી રહ્યા હતા.જે માટે લોકોએ દોરડાનો પણ સહારો લીધો હતો. આ ઘટનામાં પોતાના પિતાની સાથે બચી ગયેલા એક અકીલ જોન્સે કહ્યું કે મારી પાસે મારો ફોન, મારી ચાવીઓ અને મારા પિતા છે. ફાયરબ્રિગેડના અધિકારીઓ મુજબ આ ઘટનામાં ઘાયલ થયેલા ૧૨ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ૪ લોકોની હાલત ગંભીર છે.

લિથિયમ–આર્યન બેટરીના કારણે લાગી આગ!
વિભાગના પ્રમુખ જોન હોજન્સે જણાવ્યું હતું કે આગ ખૂબ જ ગંભીર હતી. મના દરવાજામાંથી તેની વાળાઓ બહાર આવી રહી હતી. જેના કારણે સીડીઓથી નીચે ઉતરવું મુશ્કેલ બની રહ્યું હતું. ફાયરબ્રિગેડ મુજબ ૨૦૨૩માં લિથિયમ–આર્યન બેટરીના કારણે ૨૬૭ જેટલી આગની ઘટનાઓ બની છે. તેમાં ૧૫૦ લોકો ઘાયલ થયા અને ૧૮ લોકોના મોત થયા છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધી લિથિયમ–આર્યન બેટરીના કારણે આગ લાગવાના ૨૪ કેસ સામે આવ્ા છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application