ન્યૂયોર્કના સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લિથિયમ–આર્યન બેટરીના લીધે ભીષણ આગ લાગી ગઈ હતી જેમાં એક ભારતીય નું મોત નીપયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનામાં ૧૭ અન્ય લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૪ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આગ ઉપરના મજલે લાગી હતી આથી લોકો જીવ બચાવવા બારીઓ માંથી નીચે કુદવા લાગ્યા હતા.
ન્યૂયોર્કના હારલેમમાં એક અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે
આવી છે. આ ઘટનામાં ૨૭ વર્ષીય એક ભારતીય નાગરિકનું મોત થયું છે. મૃતકની ઓળખ ફાજિલ ખાન તરીકે થઈ છે. ભારતીય દુતાવાસ સતત ફાજિલ ખાનના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે. ભારતીય દુતાવાસે કહ્યું કે હારલેમમાં આગ લાગવાની ઘટનામાં ફાજિલ ખાનના નિધનથી દુ:ખ થયું. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટે મદદ કરી રહ્યા છીએ.આ ઘટનાને પોતાની નજરે જોનારા એન્જી રેચફોર્ડે જણાવ્યું કે આગ સૌથી ઉપર લાગી હતી, ત્યારે લોકો પોતાની જાતને બચાવવા માટે બારીની બહાર કુદી રહ્યા હતા.જે માટે લોકોએ દોરડાનો પણ સહારો લીધો હતો. આ ઘટનામાં પોતાના પિતાની સાથે બચી ગયેલા એક અકીલ જોન્સે કહ્યું કે મારી પાસે મારો ફોન, મારી ચાવીઓ અને મારા પિતા છે. ફાયરબ્રિગેડના અધિકારીઓ મુજબ આ ઘટનામાં ઘાયલ થયેલા ૧૨ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ૪ લોકોની હાલત ગંભીર છે.
લિથિયમ–આર્યન બેટરીના કારણે લાગી આગ!
વિભાગના પ્રમુખ જોન હોજન્સે જણાવ્યું હતું કે આગ ખૂબ જ ગંભીર હતી. મના દરવાજામાંથી તેની વાળાઓ બહાર આવી રહી હતી. જેના કારણે સીડીઓથી નીચે ઉતરવું મુશ્કેલ બની રહ્યું હતું. ફાયરબ્રિગેડ મુજબ ૨૦૨૩માં લિથિયમ–આર્યન બેટરીના કારણે ૨૬૭ જેટલી આગની ઘટનાઓ બની છે. તેમાં ૧૫૦ લોકો ઘાયલ થયા અને ૧૮ લોકોના મોત થયા છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધી લિથિયમ–આર્યન બેટરીના કારણે આગ લાગવાના ૨૪ કેસ સામે આવ્ા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું રિવર્સ વૉકિંગથી સ્વાસ્થ્યને લાભ થાય છે?
July 03, 2024 01:50 PMટેસ્લા કારની સ્ક્રીનમાં ચાઈનીઝ બાળકીએ શોધી મોટી સમસ્યા, ઈલોન મસ્કએ આપી પ્રતિક્રિયા
July 03, 2024 01:35 PMવરસાદના પાણીને કેવી રીતે મપાય છે? તેને કેમ લીટરમાં નથી માપવામાં આવતું?
July 03, 2024 01:07 PMઅમરનાથ યાત્રાથી પરત ફરી રહેલી બસની બ્રેક ફેઇલ, જીવ બચાવવા ચાલતી બસમાંથી લોકોએ લગાવી છલાંગ
July 03, 2024 12:51 PMજામનગરમાં મનપા દ્વારા બનાવેલ ગેરકાયદેસરના "સ્પીડ બ્રેકર" દુર કરવા અંગે કમિશ્નરને પત્ર
July 03, 2024 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech