જસદણ અને વિંછીયા તાલુકામાં સિંચાઈના કામો માટે જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવા ચેકડેમ અને કેનાલ મરામતના કામો માટે ૫.૨૫ કરોડની રકમ મંજુર કરી છે.
જસદણ અને વિંછીયા તાલુકો પાણીની કાયમી અછત વાળા તાલુકાઓ છે, તાલુકાઓમાં પાણીના સંગ્રહ માટે પુરતા ચેકડેમ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી તાલુકાના ખેડુત સહિતના લોકોને ખેતી તથા પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના ઉકેલ માટે ધારાસભ્ય અને જળસંપતિ મંત્રીને રજુઆતો કરવામાં આવતી હતી.રજુઆતના અનુંસંધાને જસદણ તાલુકાના કનેસરા ગામે વીડી બોળીયા સોલીયા હનુમાન સેલુ (ચેકડેમ) પાસે ૩૯મી લંબાઈ અને ૬ મીટરની ઉંચાઈ વાળા પાકા ચેકડેમ માટે રૂા.૫૦ લાખ અને વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ટપકેશ્ર્વર પાસે ૨૭ મીટર લંબાઈ અને ૬ મીટર ઉચાઈના પાકા ચેકડેમ બનાવવા માટે રૂા.૫૦ લાખની રકમ મંજુર કરી છે. આ કામો કરવા માટે ખેડુત સહીતના લોકોનો વરસો જુના પ્રશ્ર્ન ઉકેલાયો છે.વિંછીયા તાલુકામાં મહત્વના ગામોમાં કેનાલ મરામતના કામ કરવા માટેની રજુઆતને ધ્યાને લઈ સનાળા ગામે કેનાલ મરામતના કામ માટે ા. ૩૯.૫૫ લાખ, હાથસણી ગામે કેનાલ મરામત માટે રૂા.૧૮૧.૪૬ લાખ અને દેવધરી કેનાલ મરામતના કામ માટે રૂા.૨૦૯.૫૧ લાખની રકમને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.બંને તાલુકાઓમાં સિંચાઈ વિભાગના મહત્વના કામો મંજુર થતાં ખેડુત સહીતના લોકોમાં આનંદની લાગણી પ્રવર્તતેલ છે અને ધારાસભ્ય અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech