અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન 2006માં તેમની ફિલ્મ ઉમરાવ જાનના શૂટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારપછી વર્ષ 2007માં બંનેએ ઈન્ટિમેટ ફંક્શનમાં લગ્ન કરી લીધા. આ જોડી હંમેશા કપલ ગોલ સેટ કરતી જોવા મળતી હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવની અફવાઓ ચર્ચામાં છે. જોકે તેણે આ અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી.
હવે અફવાઓ ફેલાઈ રહી છે કે અભિષેક બચ્ચનને તેની કો-સ્ટાર નિમ્રત કૌર સાથે અફેર છે. આ અફવાઓને કારણે નિમ્રત કૌરને ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવ બનાવવા માટે દોષી ઠેરવવામાં આવે છે. જોકે અભિષેક અને નિમ્રત વચ્ચેના સંબંધ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. આ બધાની વચ્ચે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દો પત્તી એક્ટ્રેસ કાજોલ અભિષેક અને ઐશ્વર્યાને તેમના લગ્ન બચાવવાની સલાહ આપી રહી છે.
લગ્ન બચાવવા કાજોલે ઐશ્વર્યા અને અભિષેકને શું સલાહ આપી?
હકીકતમાં વાયરલ થઈ રહેલો વીડિયો કોફી વિથ કરણ 2007નો છે. તેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી હાજર રહ્યા હતા. રેપિડ-ફાયર રાઉન્ડ દરમિયાન કાજોલને પૂછવામાં આવ્યું કે તે ઐશ્વર્યા અને અભિષેકના લગ્નને બચાવવા માટે શું સલાહ આપશે. આના પર કાજોલે કહ્યું કે તે નથી ઈચ્છતી કે આ કપલ કભી અલવિદા ના કહેના જુએ. કભી અલવિદા ના કહેના એક ફિલ્મ છે જેમાં શાહરૂખ ખાન, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, પ્રીતિ ઝિંટા અને અમિતાભ બચ્ચન છે અને તે બેવફાઈ અને એક્સ્ટ્રા મેરિટલ અફેર પર આધારિત છે.
અભિષેક અફવાઓ પર કેમ મૌન છે?
ઐશ્વર્યા અને અભિષેકની પર્સનલ લાઈફને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ બંનેએ હંમેશા તેના પર મૌન જાળવવાનું પસંદ કર્યું છે. અભિષેકે એકવાર ખુલાસો કર્યો હતો કે તે તેની આસપાસની ચર્ચાઓ પર કેવી રીતે શાંત રહે છે. એક મુલાકાતમાં અભિષેકે કહ્યું હતું કે તેની પત્ની ઐશ્વર્યા પાસે આ તમામ અટકળો માટે એક શબ્દ છે, ‘ઈટસ વોટર ઓફ a ડક.’ આ શબ્દનો અર્થ એ છે કે દંપતીને મળેલી સકારાત્મકતા હજાર ગણી વધારે છે તેમના વિશેની નકારાત્મકતા અને ચર્ચા કરતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech