ગાગા-ગુરગઢ ગુંસાઇજી બેઠક ખાતે વર્ષોથી આંબા કેરી મનોરથ યોજાયો

  • June 14, 2024 11:09 AM 

મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો


ભાટીયા નજીક ગાગા-ગુરગઢ બન્ને ગામોની વચ્ચે આવેલ ગુંસાઇજીની ર6મી બેઠક ખાતે દર વર્ષની જેઠ સુદ છઠ્ઠના દિવસે વર્ષોથી નાગજીભાઇ ભટ્ટના ભાવથી આંબા-કેરીનો મનોરથ થાય છે.


તા. 1ર/6 ને જેઠ સુદ છઠ્ઠના દિવસે આંબા કેરી મનોરથ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતા અને ઝારી ચરણર્પસ પ્રસાદ, વચનામૃત, રાસ-મંડળી, બ્રહ્મ સંબંધ સહિતનો સવારથી સાંજ સુધી લાભ લીધો હતો.


આ આંબા કેરી મનોરથમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ.પૂ.ગો. 108  કાલિન્દ્ર વહુજી નટવર ગોપાલ મહારાજ (દ્વારકા, બરડીયા, વેરાવળ, કંપાલા) વાળા પધારી અને વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતા, વર્ષોથી આ આંબા મનોરથ સમસ્ત વૈષ્ણવો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application