નીટની પરીક્ષામાં આર.કે.યુનિવર્સિટીના સેન્ટરમાં મોટી ગરબડીના આક્ષેપો: પૂતળા દહન

  • July 22, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નીટની પરીક્ષામાં આરકે યુનિવર્સિટીના સેન્ટરમાં મોટું કૌભાંડ થયું છે તેવો આક્ષેપ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે અને આ સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઈ ને સોંપવાની માંગણી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આર કે યુનિવર્સિટીના આ સેન્ટરમાંથી 12 વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્ક મળ્યા છે 115 વિદ્યાર્થીઓને 650 થી વધુ માર્ક મળ્યા છે. આ પરિણામથી આર કે યુનિવર્સિટીનું સેન્ટર શંકા ના દાયરામાં આવી ગયું છે અને તેથી તાત્કાલિક તેની તપાસ થવી જોઈએ.
આજરોજ ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ દ્વારા ’નીટ’ ની પરિક્ષા માં આર. કે. યુનિવર્સિટીમાં ગેરરીતિ થઈ હોવાના શંકાના દાયરામાં હોય એ મુદ્દે કોટેચા ચોકમાં ગુજરાત પ્રદેશ પ્રમૂખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં એનટીએનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આર.કે યુનિવર્સિટી સેન્ટરની સીબીઆઇ ઇન્કવાયરી કરવામાં આવે અને એનટીએને પ્રતિબંધિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
પૂતળા દહનના આ કાર્યક્રમમાં રવિભાઈ જીત્યા બ્રીજરાજસિંહ રાણા અંકિત સોંદરવા હીરલબેન ધ્રુમિલ રાઠોડ અક્ષાંશ ગોસ્વામી આર્યન કનેરિયા સમીર ચૌહાણ સહિત 10 વધુ કાર્યકતર્ઓિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application