માળિયાના નવલખી પોર્ટ ખાતે ગાડી લોડીંગ કરવા બાબતે માથાકૂટ થતા ત્રણ ઈસમોએ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આધેડને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા છે.
માળિયાના નવલખી બંદરે કામ કરતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૫) ગાડી લોડીંગ કામ સંભાળતા હોય જેને ગાડી લોડીંગ મામલે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બંને ઇસમોને કહેવાથી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી જે બનાવ મામલે મૃતકના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળિયા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાની ટીમે તપાસ ચલાવી હતી અને ત્રણેય ઈસમો નાસતા ફરતા હોય હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા, મયુરસિંહ રણજીતસિંહ જાડેજા અને સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે ત્રણેય મોટા દહીંસરા વાળાની અટકાયત કરી છે અને આરોપીનો કોવીડ રીપોર્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે તેમ પીએસઆઈએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PM