જેતપુર, વીરપુરની સીમ લાયન ટેરીટરી જાહેર થયા છતાં વન વિભાગની કચેરીને અલીગઢી તાળાં

  • May 19, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર તેમજ જેતપુર પંથકમાં સિમ વિસ્તારમાં આવેલી વીડીઓને લાઇન ટેરેરરી તરીકે જાહેર કરવામાં આવેલ છે જેમને લઈને વીડીઓની બોર્ડરની આજુબાજુના સિમ વિસ્તારોમા જમીન ધરાવતા ખેડૂતોના પોતાના ખેતરે કે વાડીઓમાં રાખેલા પશુઓ જેમકે બળદ, ગાય, ભેંસ, વાછરડી, વાછરડા કે બકરીઓના જંગલી જાનવરો મારણ કરતા હોય છે જેમને લઈને ગુજરાત સરકાર કે વન વિભાગ દ્રારા જે તે ખેડૂતોના પશુઓનું જંગલી પ્રાણીઓએ મારણ કયુ હોય તેવા ખેડૂતોને સહાયપે વળતર આપવામાં આવે છે,
પરંતુ વીરપુર સહિત જેતપુર પંથકના બાવા પીપળીયા, પાવટી, બોરડી સમઢીયાળા, ખારચિયા, પીઠડીયા, જેતલસર સહિતના ગામના ઘણા ખરા ખેડૂતોના પશુઓના મારણ જંગલી પ્રાણીઓ દ્રારા કરવામાં આવ્યા છે તેમના પાંચ પાંચ મહિના વીતી ગયા છતાં હજુ સુધી કોઈ ખેડૂતોને કોઇપણ પ્રકારની સહાય કે વળતર ચુકવવામાં આવ્યું નથી અને ખેડૂતો જેતપુર ધારેશ્વર સ્થિત વન વિભાગની કચેરી કે રેન્જ ફોરેસ્ટની ઓફીસે રજુઆત કરવા જાય તો ત્યાં મોટાભાગે કચેરીમાં તાળા મારેલા જોવા મળે છે અને કોઈપણ વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ કચેરી ખાતે હાજર રહેતા નથી અને ખેડૂતોને ધરમના ધકા થાય છે તેવા આક્ષેપો ખેડૂતોએ વન વિભાગ સામે કર્યા છે.
આ બાબતે જેતપુર ફોરેસ્ટ વિભાગના આરએફઓ પરેશ મોરડીયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે હજુ સુધી સરકાર દ્રારા અમને ગ્રાન્ટ ચૂકવાઈ નથી અને અગાઉની ગ્રાન્ટ પુરી થઈ ગઈ છે હવે નવી ગ્રાન્ટ સરકાર તરફથી આવશે ત્યારે ખેડૂતોને સહાય કે વળતર ચૂકવાશે આ બાબતે તમે અમારા ડીસીએફ સાથે વાત કરો તેવો જવાબ આપી પોતાની જવાબદારીમાં થી હાથ ઐંચા કર્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application