ઇઝરાયલની સેનાએ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર જોરદાર બોમ્બમારો ચાલુ કર્યો છે. બેરૂતમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માયર્િ ગયા છે અને 92 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટને સતત નિશાન બનાવી રહ્યું છે. દરમિયાન, ગુરુવારે સાંજે મધ્ય બેરુતના બે અલગ-અલગ વિસ્તારોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માયર્િ ગયા અને 92 અન્ય ઘાયલ થયા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓને કારણે એક ઇમારતને નુકસાન થયું છે અને બીજી ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.
ઇઝરાયલની સેનાએ લેબનીઝ રાજધાનીમાં આ હવાઈ હુમલાઓ પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઇઝરાયલે લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વિરુદ્ધ તેના હુમલાઓનો વ્યાપ વધારી દીધો છે અને ત્યાં જમીની હુમલા પણ શરૂ કરી દીધા છે.
હુમલાના સ્થળે પહોંચેલા એક ફોટોગ્રાફરે જણાવ્યું કે પહેલો હુમલો રાસ અલ-નબા વિસ્તારમાં થયો. તેમણે કહ્યું કે આઠ માળની ઇમારતના નીચેના ભાગમાં વિસ્ફોટ થયો. જયારે બીજો હુમલો બુર્જ અબી હૈદર વિસ્તારમાં થયો, જ્યાં એક આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ.
અગાઉ, પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ જણાવ્યું કે ગાઝામાં વિસ્થાપિત લોકોને આશ્રય આપતી શાળા પર ગુરુવારે ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 27 લોકો માયર્િ ગયા હતા. ઇઝરાયલી સેનાએ કોઈપણ પુરાવા આપ્યા વિના કહ્યું કે તેણે નાગરિકોની વચ્ચે છુપાયેલા આતંકવાદીઓને નિશાન બનાવ્યા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાનું લક્ષ્ય હમાસ દ્વારા આશ્રયસ્થાનની અંદર ચલાવવામાં આવતી અસ્થાયી પોલીસ ચોકી હતી. લેબનોનમાં હિઝબુલ્લાહ સામેના યુદ્ધ અને ઈરાન સાથે વધતા તણાવ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઇઝરાયલ પેલેસ્ટિનિયન પ્રદેશોમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાઓ ચાલુ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, તેણે ઉત્તર ગાઝામાં હમાસ વિરુદ્ધ મોટા પાયે હવાઈ અને જમીન અભિયાન શરૂ કર્યું હતું.
અન્ય એક ઘટનામાં સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ જણાવ્યું કે લેબનોનમાં ઇઝરાયલના હુમલામાં બે પીસકીપર્સ ઘાયલ થયા છે.અધિકારીએ જણાવ્યું કે ઇઝરાયલી સેનાએ ગુરુવારે દક્ષિણ લેબનોનમાં શાંતિ રક્ષા દળ યુનિફિલના ત્રણ સ્થળો પર ગોળીબાર કર્યો હતો.
નોંધનીય છે કે લેબનોનમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી હિઝબુલ્લાહને મોટું નુકસાન થયું હતું. આ પહેલા ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના વધુ બે કમાન્ડર માયર્િ ગયા હતા. ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ કમાન્ડરોની હત્યાની પુષ્ટિ કરી હતી. ઇઝરાયલ દ્વારા માયર્િ ગયેલા હિઝબુલ્લાહ આતંકવાદીઓના નામ અહેમદ મુસ્તફા અને મોહમ્મદ અલી હમદાન હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અલી હમદાન હિઝબુલ્લાહના એન્ટી ટેન્કનો કમાન્ડર હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech