અમદાવાદમાં લોકોની વાહન ખરીદવાની શકિત કેટલી મજબૂત છે તે તાજેતરના આંકડાઓથી સ્પષ્ટ્ર થાય છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન અમદાવાદીઓએ કુલ લગભગ .૭,૫૩૮ કરોડના વાહનો ખરીધા છે. આ રકમ રાયના પોટર્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગના .૪,૩૧૪ કરોડના બજેટ કરતાં પણ વધારે છે. આ અંદાજ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા વસુલ કરાયેલા વાહન ટેકસના આધારે કાઢવામાં આવ્યો છે.
ગયા વર્ષ ૨૦૨૪–૨૫માં અમદાવાદીઓએ લગભગ .૬,૮૧૩ કરોડના વાહનો ખરીધા હતા. એટલે કે આ વર્ષે ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૫–૨૬ દરમિયાન એએમસી દ્રારા લગભગ ૨.૯૮ લાખ વાહનોમાંથી .૨૩૯.૩ કરોડનો વાહન ટેકસ વસુલ કરવામાં આવ્યો હતો, જે ગયા વર્ષ કરતાં લગભગ .૧૫ કરોડ વધારે છે. આથી સ્પષ્ટ્ર થાય છે કે શહેરમાં વાહનોની સંખ્યા અને તેમની કિંમત બંને વધી રહી છે. એએમસી દ્રારા વાહન ટેકસ ૨ ટકા થી ૫ટકા સુધી વસુલ કરવામાં આવે છે. ટુ–વ્હીલર, ઓટો રિક્ષા અને નાના વાહનો પર લગભગ ૨.૫ ટકા ટેકસ લાગે છે, યારે કાર પર તેની કિંમત મુજબ ૨ ટકા થી ૫ ટકા સુધી ટેકસ વસુલ થાય છે. .૫૦ લાખથી વધારે કિંમતની કાર પર ૫ટકા ટેકસ અને .૨૫ લાખથી .૪૯.૯ લાખ વચ્ચેની કાર પર ૪ ટકા ટેકસ વસુલ થાય છે. મોટા ભાગની કાર ૨.૭ ટકા થી ૪ટકા ટેકસ કેટેગરીમાં આવે છે, એટલે કે લોકો મધ્યમ અને પ્રીમિયમ સેગમેન્ટની કાર વધુ ખરીદી રહ્યા છે.
લકઝરી કારની માંગ પણ વધી રહી છે. ૨૦૨૫–૨૬માં લગભગ ૪,૬૩૧લકઝરી કાર રજીસ્ટર થઈ, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ ૭ ટકા વધુ છે. લોકો હવે વધુ સુવિધાઓવાળી, ઐંચી ગ્રાઉન્ડ કિલયરન્સ અને આકર્ષક દેખાવવાળી કાર તરફ આકર્ષાઈ રહ્યા છે. સાથે સાથે સરળ લોન સુવિધાઓ પણ વેચાણમાં વધારો કરી રહી છે.
પરંતુ કેટલીક વ્યકિતઓ ટેકસ બચાવવા માટે વાહન અમદાવાદની બહાર રજીસ્ટર કરે છે. ખાસ કરીને બાવળા વિસ્તારમાં લગભગ ૫૫,૦૦૦ વાહનો રજીસ્ટર થયા છે, જેમાંથી ઘણા અમદાવાદના લોકોના છે. ઉદાહરણ તરીકે, .૩૫ લાખની કાર પર એએમસીને લગભગ .૧.૪ લાખ ટેકસ આપવો પડે છે, તેથી લોકો બહાર રજીસ્ટ્રેશન કરે છે.
આ ઉપરાંત, વાહન ખરીદતી વખતે આરટીઓ ટેકસ અને ઇન્શ્યોરન્સ સહિત કુલ વધારાનો ખર્ચ લગભગ .૫ લાખ જેટલો થાય છે. મહત્વની વાત એ છે કે ઇલેકિટ્રક વાહનો પર હાલ કોઈ વાહન ટેકસ લાગતો નથી અને આ છૂટ ૨૦૨૬–૨૭ સુધી ચાલુ રહેશે