રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાનો શપથવિધિ સમારોહ રાજકોટ ખાતે કોઠારીયા રોડ પરના એક પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. આ સમારોહ માં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણી પહેલા જ ભાજપ ભયભીત બની ગયો છે અને તેના કારણે પક્ષાંતર શરૂ કરાવ્યું છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ સારો દેખાવ નહીં કરે તેવી તેને અત્યારથી જ બીક લાગી ગઈ છે અને તેથી પક્ષાંતરનું રાજકારણ શરૂ કરી દીધું છે.લલીતભાઈ વસોયા એ જણાવ્યું હતું કે આમ છતાં અમે મજબુત અને સંગઠિત બની લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ્નો સામનો કરીશું. પક્ષાંતરના કારણે મતદારોની લાગણીને ઠેસ પહોંચતી હોય છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક મેળવ્યા પછી પણ ભાજપ સરકારના મદમા આવી ગયો છે અને તેને મતદારોની આવી લાગણીની કોઈ ખેવના પણ નથી. લોકસભાની આગામી ચૂંટણીમાં મતદારો તેને બરાબર નો પાઠ ભણાવશે.ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામાં બાબતે તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં તેનો ધંધો છે અને ભાજપ્ના દબાણને વશ થઈને તેમણે રાજીનામું આપ્યું છે. હવે કોંગ્રેસના 16 ધારાસભ્યો રહ્યા છે અને તે બધા પક્ષની વિચારધારા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે.
લલીતભાઈ વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણી પહેલા સંગઠન માળખુ વધુ મજબૂત બનાવવામાં આવશે. કપાસ ડુંગળી ના ભાવના મામલે ખેડૂતો હેરાન પરેશાન છે. ગુજરાતમાં દારૂ જુગાર અને ડ્રગ્સ ની બદી વધી ગઈ છે. પોલીસની મીઠી નજર ચડે આ બધું ચાલી રહ્યું છે. અમે આ તમામ મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને આગામી દિવસોમાં આંદોલન કરીશુ.
પાટીલ મારા પર જેટલી લાગણી રાખે છે તેટલી મારા વિસ્તાર પર રાખે: અમરીશ ડેર
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે જણાવ્યું હતું કે પાટીલ મારા પર જેટલી લાગણી રાખે છે તેટલી લાગણી મારા મતવિસ્તાર પર રાખે તો સારું. અમરીશ ડેર ને ભાજપમાં જોડાવા માટે બબ્બે વખત ઓફર પાટીલ દ્વારા કરવામાં આવી છે. તે બાબતે તેમણે જણાવ્યું હતું કે પાટીલે મારા બદલે મારા મતવિસ્તાર પર લાગણી રાખવી જોઈએ. પક્ષાંતરના મામલે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે ઘણાને ઘણું બધું આપ્યું છે. છતાં જયારે પક્ષાંતર કરે ત્યારે કોંગ્રેસને બદનામ કરવાની વાત વ્યાજબી નથી. પક્ષાંતરને કારણે મતદારો પર પણ અસર થતી હોય છે.
પેપર લીક -બોગસ ટોલનાકા મામલે ભાજપ પર પ્રભારી સંદીપ્ના પ્રહારો
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી બી.એમ.સંદીપ એ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ બોગસ ટોલનાકા જેવા બનાવો ઘણા ગંભીર છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ નો ધંધો રાજસ્થાનમાં છે અને તેના પર દબાણ લાવીને પક્ષાંતર કરાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech