જૂનાગઢ કામદાર સોસાયટી વિસ્તારમાં એક સાહ પૂર્વે રાત્રે ઘરમાં બ્લાસ્ટ થતાં એક જ પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. માતા, પુત્ર અને બાળક સહિત ચારના દાઝવાના બનાવમાં ચારેય સભ્યોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.યાં બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું હતું. યારે માતા અને પિતાની હાલત ગંભીર હતી. જેમાં સારવાર દરમિયાન પિતાનું પણ મોત થતા મૃત્યુ આકં બે થયો હતો. ગઈકાલે અંતિમ યાત્રામાં સ્નેહીજનોમાં અશ્રુનો દરિયો વહ્યો હતો.જૂનાગઢમાં દુબળી પ્લોટ પાસે ગણેશ નગર કામદાર સોસાયટી વિસ્તારમાં મકાનમાં તીવ્ર ધડાકો થયો હતો. કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના મકાનમાં થયેલ બ્લાસ્ટ અંગેની પ્રા વિગત મુજબ ગેસની નળી લીકેજ હતી અને જેથી રસોડામાં ગેસ પ્રસરી ગયો હતો. જેથી દૂધ લેવા ગયેલ મહિલાએ રસોડાની સ્વીચ કરતા બોર્ડમાં ધડાકો થયો હતો.બ્લાસ્ટમાં કાનજી માવજીભાઈ કટારીયા( ઉં.વ.૬૦), વિજય કાનજીભાઈ કટારીયા( ઉં.વ ૩૨), મનીષા વિજયભાઈ કટારીયા અને આઠ વર્ષીય બાળક દત એમ એક જ પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. ત્યારબાદ દાઝેલી હાલતમાં ચારેય સભ્યોને પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યાં ગંભીર રીતે દાઝી ગયેલા દત્ત કટારીયા નામના બાળકનું મોત થયું હતું. જેની રાજકોટમાં જ અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે દાઝેલા વિજયભાઈ કટારીયાનું પણ નિધન થતા બ્લાસ્ટના કારણે પરિવારના વધુ એક સભ્યનો ભોગ લેવાયો હતો. યારે વિજયાબેન કટારીયા પણ અતિ ગંભીર હોવાની માહિતી પ્રા થઈ છે. પુત્ર બાદ પિતાનો પણ ભોગ લેવાતા કટારીયા પરિવારમાં ગમગીની છવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મનપાના જનરલ બોર્ડમાં તડાફડી, ભાજપના નેતાએ આરોગ્ય અધિકારી કામ ન કરતા હોવાની ફરિયાદ કરી
March 19, 2025 12:35 PMદ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રીના ચેકીંગ હાથ ધરાયું
March 19, 2025 12:35 PMપોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન 9 થી 17 એપ્રિલ સુધી રદ
March 19, 2025 12:35 PMદ્વારકા-પોરબંદર તથા જામનગર જિલ્લામાંથી ૬ માસ માટે તડીપાર
March 19, 2025 12:31 PMપ્રોહીબીશન હેઠળ 37 કેસો શોઘી કાઢી 39 આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી જામનગર પોલીસ
March 19, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech