જામનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારા આસામીઓને વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાના છેલ્લા ૧પ દિવસ બાકી રહ્યા છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા તા. ૧૭ એપ્રિલ થી દોઢ માસ માટેની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેને એક માસ પૂર્ણ થઈ ચૂક્યો છે.
તા. ૧૬ એપ્રિલથી તા. ૧પ મે-ર૦ર૪ સુધીના એક માસના સમયગાળામાં ૩૦,૭૮૪ લોકોએ લાભ લીધો છે અને રૃા. ૧૯.૭૬ કરોડની રકમ ભરપાઈ કરી છે .તથા રૂ. ૦ર.૧૪ કરોડનું વળતર પ્રાપ્ત કર્યું છે. હવે આ યોજનાના છેલ્લા ૧પ દિવસ બાકી રહ્યા છે. આથી લોકો મિલકત વેરા અને પાણી ચાર્જની રકમ એડવાન્સ ભરીને આ યોજનાનો લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
વર્ષ ર૦૦૬ પહેલા રેન્ટ બેઈઝ મુજબ મિલકતવેરા અને પાણી ચાર્જમાં ૧૦૦ ટકા અને ર૦૦૬ પછી કારપેટ બેઈઝ મુજબ બાકી રકમ ઉપર પ૦ ટકા વ્યાજ માફીની યોજના હાલ અમલમાં છે.
આ માટેના પૈસા ભરવા મહાનગરપાલિકાના કચેરીના મુખ્ય કેશ કલેક્શન સેન્ટર, ત્રણેય સિવિક સેન્ટર (ગુલાબનગર, રણજીતનગર અને સરૃસેક્શન રોડ) શહેરની એચ.ડી.એફ.સી , કોટક, નવાનગર,. આઈડીબીઆઈ બેંક ની કોઈપણ શાખામાં પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન, અથવા ઓનલાઈન પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ ની યાદી માં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech