શહેરના પારેવડી ચોક પાસે ખોડીયારપરામાં રહેતા આધેડે ભગવતીપરા જુના રેલવે પુલ પર જાહેરમાં ગળાફાંસો ખાધો હતો પરંતુ દોરી તૂટી જતા તેઓ નીચે પટકાયા હતા જેથી તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જેમાં તેમના બંને પગે ફ્રેકચર થયાનું માલુમ પડયું હતું. આ આધેડે કેટલાક લોકોને ઉછીના પૈસા આપ્યા હોય પરંતુ હવે તે પરતના આપતા હોવાથી તેની ચિંતામાં આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, ખોડીયારપરામાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર નૂરમહંમદ આમદભાઈ બ્લોચ(ઉ.વ 45) નામના મુસ્લિમ આધેડે આજરોજ જુના રેલવે પુલ પર જાહેરમાં ગળાફાંસો ખાધો હતો. પરંતુ દોરી તૂટી જવાથી તેઓ નીચે પટકાયા હતા જેમાં તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જે અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.આધેડના પત્ની નગમાબેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેમના પતિએ કણકોટના સલીમ ને રૂ.2.20 લાખ,મુંજકાના સચિનને રૂ. 3 લાખ તેમજ હેમંતને 50,000 તથા મહેશને બે લાખ આપ્યા હોય જેઓ હવે પૈસા પરત ન આપતા ન હોવાથી આ ચિંતામાં પતિએ આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech