ધ કેરલા સ્ટોરીની એક્ટ્રેસ અદા શર્માએ ટીકાકારોને આપ્યા જવાબ

  • May 01, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



  • કેરલા સ્ટોરીની ટ્રેલર રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ
  • કમાન્ડો ફેમ અભિનેત્રીએ પીસી અને ટ્વીટર પર ફિલ્મ અંગે આપી માહિતી


આજકાલ એક્ટ્રેસ અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, કેટલાક લોકો તેઓ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે આતુર છે. જ્યારે કેટલાક તેને વિવાદાસ્પદ અને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. હવે 'કમાન્ડો' અભિનેત્રીએ લોકોના કેટલાક સવાલોના જવાબ આપ્યા છે અને જણાવ્યું છે કે, તેણે આ ફિલ્મ કેવી રીતે કરી ત્યારે પીડિત યુવતીઓએ પણ તેને મેસેજ કરીને આભાર પણ માન્યો હતો.

અદા શર્માએ મીડિયા સાથે ધ કેરલા સ્ટોરી વિશે વાત કરી વીડિયો પણ શેર કર્યો છે. ટ્વિટર પર પોસ્ટ  વીડિયોમાં તે કહી રહી છે...

 અમારી ફિલ્મ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. પરંતુ તે ચોક્કસપણે આતંકવાદ વિરોધી છે. અમારી ફિલ્મ છોકરીઓને ડ્રગ્સ, બ્રેઇનવોશિંગ, બળાત્કાર, માનવ-તસ્કરી, બળજબરીથી પ્રેગ્નેન્સી અને લોકો દ્વારા વારંવાર બળાત્કાર કરવા વિશેની છે. તેઓ જે બાળકને જન્મ આપે છે તે તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે અને પછી તેમને આત્મઘાતી બોમ્બર બનાવવામાં આવે છે. તે અંગેની વિગત દર્શાવે છે.


 અભિનેત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પણ બધાના સવાલોના જવાબ આપ્યા. તેણે કહ્યું કે...

 ભારતીય હોવા, એક માણસ હોવા, એક છોકરી હોવાના કારણે, તે ખૂબ જ ડરામણી વાર્તા છે કે છોકરીઓ ગાયબ થઈ રહી છે. તેનાથી પણ વધુ ડરામણી વાત એ છે કે, જે કોઈ પણ તેને પ્રોપેગેન્ડા કહે છે અથવા નંબરો પર ચર્ચા કરે છે, હું માની શકતી નથી કે પહેલા આપણે લોકો નંબરને સમર્થન આપી રહ્યા છીએ અને પછી આપણે જ કહી રહ્યા છીએ કે, છોકરીઓ ગાયબ થઈ ગઈ છે. જ્યારે આપણે તેનાથી વિપરીત હોવું જોઈએ. પહેલા આપણે એ ચર્ચા કરવી જોઈએ કે છોકરીઓ ગુમ છે અને પછી તમે તેની સંખ્યાઓની ચર્ચા કરો.

 
અદા શર્માએ આગળ કહ્યું...

 પણ મને લાગે છે કે આ પાત્ર... જ્યારે તમે લોકો આ ફિલ્મ જોશો, મને એવું લાગે છે, જ્યારે તમે આખી ફિલ્મ જોશો ત્યારે કોઈને પણ આ બધા પ્રશ્નો નહીં થાય. નંબરની ચર્ચા કરશે નહીં. હા હું આ પાત્રને જીવી છું અને પીડિતાને મળી છું. હું શબ્દોમાં વર્ણવી શકીશ નહીં, હું ન્યાય કરી શકીશ નહીં કે, અનુભવ કેવો હતો. જો હું એક-બે લીટીમાં કહું તો હું તેને બરાબર રીતે સમજાવી શકીશ નહીં. પણ ફિલ્મ જોયા પછી તમને ખબર પડી જશે.

અદા શર્માએ જણાવ્યું કે...



 એક પીડિત છોકરીએ તેને લેખિતમાં સંપૂર્ણ વાત સમજાવી દીધી. કે ક્યારે, શું અને કેવી રીતે થયું. તેનો અભ્યાસ કર્યા બાદ સીન શૂટ કરવામાં આવ્યા હતા. અને જ્યારે ટ્રેલર રીલિઝ થયું અને તે છોકરીએ તે જોયું, ત્યારે તેણે અભિનેત્રીને મેસેજ કર્યો કે, તે કરવા બદલ તેનો આભાર અને તમે તેને સારી રીતે શૂટ કર્યું. તેણે આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application