તાજેતરમાં એક અભિનેત્રીએ કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધત્પને કાનૂની નોટિસ મોકલી છે. કપિલ શર્મા એવા ટીવી કોમેડિયનમાંથી એક છે જે લોકોને હસાવવાનો પ્રયાસ કરતી વખતે ટ્રોલિંગનો શિકાર બને છે. ઘણી વખત લોકોએ કપિલ શર્માને લીગલ નોટિસ પણ પાઠવી છે. હાલમાં પણ કપિલ શર્મા આવા જ જમેલામાં ફસાયો છે. આ વખતે બોલિવૂડની એક અભિનેત્રીએ કપિલ શર્માને લીગલ નોટિસ મોકલી છે. આ અભિનેત્રીનો દાવો છે કે કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધત્પએ નેશનલ ટીવી પર કેન્સર વિશે ખોટી માહિતી આપી છે. અહીં અભિનેત્રી રોઝલિન ખાન વિશે વાત ચાલી રહી છે
રોઝલિન ખાન કેન્સર સર્વાઈવર છે જે માને છે કે કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધત્પએ લોકોને કેન્સરને લઈને ગેરમાર્ગે દોર્યા છે. કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધત્પએ દુનિયાની સામે માફી માંગવી જોઈએ. કપિલ શર્મા સાથે વાત કરતી વખતે નવજોત સિંહ સિદ્ધત્પએ દાવો કર્યેા હતો કે તેણે કેન્સરની સારવાર દરમિયાન તેની પત્નીને લીમડાના પાનનું ઉકાળેલું પાણી પીવડાવ્યું હતું. કેન્સર સામે લડવા માટે નવજોત સિંહ સિદ્ધત્પ પણ આ પાણીમાં હળદર ભેળવતા હતા. રોઝલિને દાવો કર્યેા છે કે નવજોત સિંહ સિદ્ધત્પનો આ દાવો મેડિકલ સાયન્સની વિદ્ધ છે. મોટી મેડિકલ સંસ્થાઓ અને ડોકટરોએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો છે.
રોઝલિન ખાનનું કહેવું છે કે આવા નિવેદનો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. આવા નિવેદનોને કારણે લોકોનો મેડિકલ સાયન્સ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. લોકો એવા કામ કરવા લાગશે જેના માટે મેડિકલ સાયન્સમાં કોઈ પુરાવા નથી. કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધત્પએ આવા નિવેદનો કરવાથી બચવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે થોડા સમય બાદ નવજોત સિંહ સિદ્ધત્પએ કપિલ શર્માના શોમાં એન્ટ્રી કરી હતી. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધત્પએ ટીમ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. વાતચીત દરમિયાન નવજોત સિંહ સિદ્ધત્પએ પોતાની પત્નીના કેન્સરને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech