હવાઈ મુસાફરોએ હવે તેમને તેમનો સામાન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિકયુરિટી (બીસીએએસ) એ સાત એરલાઈન્સને ફરજીયાત ૩૦ મિનિટની અંદર મુસાફરોની બેગની ડિલિવરી કરી દેવા આદેશ આપ્યો છે. બીસીએએસ એ એરલાઈન્સને ૨૬ ફેબ્રુઆરી સુધી ૧૦ દિવસમાં જરી પગલાં લઇ નિયમો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. આ પછી એરલાઇન્સ કંપનીઓએ તેમની સેવાઓમાં સુધારો કર્યેા છે. હવે આ સૂચના બાદ હવાઈ મુસાફરોને મોટી સુવિધા મળશે અને તેમને એરપોર્ટ પર પોતાનો સામાન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે નહીં.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીસીએએસએ એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા, સ્પાઈસજેટ, વિસ્તારા, એર ઈન્ડિયા એકસપ્રેસ કનેકટ અને એર ઈન્ડિયા એકસપ્રેસ સહિત સાત એરલાઈન્સને પત્ર લખ્યો હતો. છેલ્લી વસ્તુ ૩૦ મિનિટની અંદર પહોંચાડવામાં આવે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. બીસીએએસ એ જાન્યુઆરીમાં છ મુખ્ય એરપોર્ટના પટ્ટા પર સામાનના આગમનના સમય પર દેખરેખ રાખવાની સતત કવાયત શરૂ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે તમામ એરલાઇન્સના પ્રદર્શન પર સાાહિક ધોરણે નજર રાખવામાં આવી રહી છે અને તેમાં સુધારો થયો છે, પરંતુ તે આદેશને અનુપ નથી. પ્રથમ બેગ ૧૦ મિનિટની અંદર બેગેજ બેલ્ટ સુધી પહોંચવી જોઈએ છેલ્લી બેગ ૩૦ મિનિટની અંદર પહોંચવી જોઈએ. અધિકારીએ કહ્યું કે આ મોનિટરિંગ હાલમાં છ મોટા એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech