શહેરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા વેચાણવેરા અધિનિયમના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નિલમબાગ નાસતા ફરતા આરોપીને એસઓજી એ ઝડપી લીધો હતો.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ સુનેસરા ના માર્ગદર્શન હેઠળપેટ્રોલિંગમાં રહેલા પો.કોન્સ મિનાજભાઇ ગોરીને બાતમી આધારે હક્કિત મળેલ કે, ભાવનગર શહેર નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુ.ર.નં.૭૦૦/૨૦૦૬ ગુજરાત વેચાણ વેરા અધિનિયમ ૧૯૬૯ ની કલમ ૭૫(૧) (ઝ) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ભાલેન્દ્રસિંધ પ્રતિપાલસિંઘ સવાની (ઉ.વ-૫૦ રહે. સી/૪૩ વેસ્ટર્ન પાર્ક, ગુરૂકુપા નજીક, એચ.જી હાઇ-વે, અમદાવાદ) પાનવાડી ચોક પાસેથી ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસને હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.ગુલમંહમદભાઇ, પો.કોન્સ. મિનાજભાઇ ગોરી, પો.કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, પો.કોન્સ હરપાલસિંહ ગોહિલ, પો.કોન્સ ધર્મદીપસિંહ જાડેજા અને ડ્રા.પો.કોન્સ સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધ તો દૂરની વાત, સિંધુના પાણી માટે પાકિસ્તાને ભારત પાસે કરગરવાનું શરૂ કર્યું
June 05, 2025 01:55 PMજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech