પેરોલ ફર્લો સ્કવોડ ત્રાટકી : ધ્રોલ પ્રોહીબીશનના ગુનામાં એકની અટક
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ પહેલાં ડુપ્લિકેટ તમાકુ અંગે કોપીરાઇટ ભંગનો કેસ નોંધાયો હતો, જે ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર માંથી ઝડપી લેવાયો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂ અંગેના કેસમાં નાસ્તા ફરતા રાપર કચ્છના આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે જામનગરમાંથી ઝડપી લીધો છે, અને ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના લખધીરસિંહ, કરણસિંહ, ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ તથા ધર્મેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસર ગામના સબીર હુસૈન અબ્દુલભાઈ શેરસીયા નામના શખ્સ સામે આજથી એક વર્ષ પહેલાં જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ડુપ્લીકેટ તમાકુ અંગે કોપી રાઈટ ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં છેલ્લા એક વર્ષથી પોતે નાસ્તો ફરતો રહ્યો હતો.
દરમિયાન જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમેં વાંકાનેર પંથકમાં દરોડો પાડી આરોપી સબીર શેરસિયાને ઝડપી લીધો છે, અને તેને જામનગર લઈ આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સૂપ્રત કરી દીધા છે.
જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બાલાસરી ગામના ભગવાનજી ભાનુભાઈ ડાંગર નામના શખ્સ સામે ધ્રોલ પોલીસ મથકમાં પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં પોતે ફરારી હતો.
જે આરોપી જામનગર શહેરમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમને મળી હતી, જે બાતમીના આધારે આરોપી ભગવાનભાઈ ડાંગરની અટકાયત કરી લેવામાં આવી છે, અને ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech