અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એકસપ્રેસ વે પર ગઈકાલે રાત્રે એક ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, યારે અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. યમુના એકસપ્રેસ વે પર ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ હતી. ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી.
આ અકસ્માત અંગે માહિતી આપતાં અલીગઢ પોલીસે જણાવ્યું કે, ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, રાહત અને બચાવ કાર્ય હાથ ધયુ અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત છે. સ્થળ પર શાંતિ જળવાઈ રહી છે. દુખદ ઘટના પર શોક વ્યકત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢ અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech