સમગ્ર દેશમાંથી દરરોજ હજારો લોકો ભગવાન રામના દર્શન કરી ભાવવિભોર થઈ રહ્યા છે ત્યારે ઉપલેટા પંથકમાંથી રવિવારે બપોરે ૨૦૦ જેટલા રામભક્તો સ્પેશિયલ ટ્રેન મારફત અયોધ્યા જવા રવાના થનાર છે તેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ અંગે ભગવાન રામલલ્લ ાના દર્શન માટે રામભક્તો માટે સ્પેશિયલ ફાળવાયેલ ટ્રેન ઉપલેટા-ધોરાજી વિધાનસભાના ઈન.હરસુખભાઈ સોજીત્રાએ માહિતી આપતા જણાવેલ કે વર્ષો બાદ ભાજપની સરકારે વહી રામમંદિર બનાયેંગેના સુત્રને સાર્થક કરી અયોધ્યામાં ભગવાન રામલલ્લ ાની પુન: પ્રાણ પ્રતિષ્ઠ ા કરી દેશના કરોડો લોકો માટે દર્શન કરવા ખુલ્લ ુ મુક્યું છે. ત્યારે દેશની જનતા માટે રામલલ્લ ાના દર્શન શાંતિપૂર્ણ કરી શકે તે માટે સ્પેશિયલ આસ્થા ટ્રેન ફાળવણી કરી છે તેમાં આગામી તા.૨૫ને રવિવારે બપોરે ૨ વાગ્યે ઉપલેટા-ધોરાજી વિસ્તારના ૨૦૦ જેટલા રામભક્તો ભગવાન રામલલ્લ ાના દર્શન માટે રવાના થશે તેમાં રામભક્તોએ અગાઉ નામ નોંધણી કરાવી છે તેવા ધોરાજી-ઉપલેટાના લોકો માટે ઉપલેટા રેલવે સ્ટેશને બપોરે ૧૨ વાગ્યે પહોંચી જવાનું રહેશે તેને તેમનું આધારકાર્ડ ફરજિયાત ઓરીજીનલ લઈ આવવાનું રહેશે. રેલવે સ્ટેશને તમામ રામભક્તોને તેમનો પાસ-ટીકીટ તેમજ કઈ જગ્યાએ બેસવાનું છે તે તમામ માહિતી તેમજ અયોધ્યામાં દર્શન વિશે માહિતી આપવામાં આવશે. જેથી બપોરે ૧૨ વાગ્યે આવી તમામ લોકોએ પોતાના પાસ મેળવી લેવા યાત્રાના ઈન્ચાર્જ હરસુખભાઈ સોજીત્રાએ જણાવેલ કે, ધોરાજી-ઉપલેટા વિસ્તારના લોકોને પોરબંદર કે રાજકોટ સુધી જવું ન પડે તે માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને રજૂઆત કરતા બન્ને હોદેદારોએ રેલવે વિભાગમાં રજૂઆત કરતા આસ્થા ટ્રેનને ઉપલેટા સ્ટોપ આપવામાં આવતા રામભક્તોમાં ભારે ખુશી છવાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech