જામનગર શહેરમાંથી સગીરાનું અપહરણ

  • January 08, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મહાકાળી સર્કલ વિસ્તારમાં રહેતી એક સગીરાને ભગાડી લઇ જવા અંગે પોલીસમા ફરિયાદ નોંધાવાતા પોલીસે અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરમા મહાકાળી સર્કલ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય પરિવાર ની ૧૬ વર્ષ સગીર વયની પુત્રી ગત તા ૪/૧/૨૪ નાં ગુમ થઈ હતી. આ અંગે પરિવારે શોધ ખોળ શરૂ કરી હતી પરંતુ પતો લાગ્યો ન હતો.
જેને પડોશ માં જ રહેતો યુવક ભગાડી લઈ ગયો હોવાનું જણાતા સગીરાનાં પિતા એ પોતાની સગીર વયની પુત્રીનું અપહરણ કરી લઇ જવા અંગે મહાકાળી સર્કલ પાસે રાવલીયાવાસમાં રહેતા રવિરાજ ઉર્ફે લાપુસિયો અજય ગોહિલ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવતા પો.ઇન્સ. એ. આર. ચૌધરી એ તપાશ હાથ ધરી છે. આરોપી સગીરાને લગ્નની લાલચ આપીને વાલીપણામાંથી ભગાડી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application