સોફ્ટવેર એન્જિનિયર્સની નોકરીઓ જોખમમાં આવી પડવાની છે. માર્ક ઝુકરબર્ગ પછી હવે સેમ ઓલ્ટમેને પણ સ્વીકાર્યું કે એ સમય દુર નથી કે જયારે એઆઈ એજન્ટ એન્જિનિયરોનું સ્થાન લઈ લેશે.એઆઈના કારણે માણસોની નોકરીઓ ગુમાવવાનો ડર સાચો પડતો જાય છે. ઓપ્નએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું છે કે ટૂંક સમયમાં એઆઈ એજન્ટો એ બધા કામ કરવાનું શરૂ કરશે જે થોડા વર્ષોનો અનુભવ ધરાવતો સોફ્ટવેર એન્જિનિયર કરે છે.
ઘણા સમયથી એઆઈ એજન્ટો વિશે ચચર્િ ચાલી રહી છે. હવે ચેટજીપીટી બનાવનાર કંપ્ની ઓપ્નએઆઈ ના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું છે કે આવનારા સમયમાં એઆઈ એજન્ટો સોફ્ટવેર એન્જિનિયરોનું સ્થાન લઈ લેશ. આ એજન્ટો થોડા વર્ષોનો અનુભવ ધરાવતા સોફ્ટવેર એન્જિનિયરો જે કામ કરે છે તે બધું જ કરી શકશે. તેમણે કહ્યું કેએઆઈ એજન્ટોના વિકાસથી ઘણા ટેકનિકલ કાર્યો સંપૂર્ણપણે બદલાઈ જશે.
એજન્ટો મનુષ્યોને સંપૂર્ણપણે બદલી શકશે નહીં
ઓલ્ટમેન એમ પણ કહે છે કે આ એજન્ટો મનુષ્યોને સંપૂર્ણપણે બદલી શકશે નહીં. તેમણે કહ્યું કે ભલે આ એજન્ટો થોડું કામ કરી શકશે, પરંતુ ગુણવત્તા અને નવીનતા પર નજર રાખવા માટે માણસોની જરૂર પડશે. આ એજન્ટો મનુષ્યોનું સ્થાન લેવાને બદલે તેમની સાથે કામ કરશે.એઆઈ એજન્ટો વિશેની વાતો હવે ફક્ત સિદ્ધાંતમાં જ નથી. ગૂગલ અને મેટા જેવી મોટી કંપ્નીઓએ તેમના કાર્યપ્રવાહમાં એઆઈ ને એકીકૃત કર્યું છે. ઉદાહરણ તરીકે, ગૂગલ તેના મોટાભાગના નવા કોડ એઆઈ સાથે જનરેટ કરી રહ્યું છે. તેવી જ રીતે, મેટા પણ એઆઈ એજન્ટો સાથે કામ કરી રહ્યું છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એમ પણ કહ્યું હતું કે એઆઈ મિડ-લેવલ સોફ્ટવેર એન્જિનિયરોનું સ્થાન લેશે.
એઆઈ એજન્ટ્સ શું છે
એઆઈ એજન્ટ્સ એ ચોક્કસ કાર્યો કરવા માટે રચાયેલ સાધનો છે. ઓપ્નએઆઈએ તાજેતરમાં 2 એઆઈ એજન્ટ લોન્ચ કયર્િ છે. આદેશ આપવા પર, આમાંથી એક ટિકિટ બુકિંગ અને ઓનલાઈન ઓર્ડરિંગ જેવા કાર્યો કરી શકે છે અને બીજું ઇન્ટરનેટ પર સંશોધન કરવામાં મદદ કરી શકે છે. આ એજન્ટોના ભવિષ્ય અંગે, ઓલ્ટમેને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં વર્ચ્યુઅલ સાથીદારોની જેમ કામ કરવાનું શરૂ કરશે. ઓલ્ટમેને એમ પણ કહ્યું છે કે આ એજન્ટો આ વર્ષે કાર્યબળમાં જોડાશે. તેમનું કહેવું છે કે આ એજન્ટો કંપ્નીઓના ઉત્પાદન પર પણ અસર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech