લોઠડા ગામે રહેતા યુવાને પખવાડિયા પૂર્વે પોતાની જાતે છરીના ઘા પેટમાં ઝીંકીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના પિતા દ્વારા લોઠડામાં જ રહેતા બે શખસો વિરુદ્ધ તેના પુત્રને મરવા મજબૂર કર્યા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બંને શખસો દારૂના ધંધાર્થી હોય યુવાનને પોતાને ત્યાં મજૂરી કામે આવવા માટે ધમકીઓ આપતા હોય તેનાથી ડરી જઇ યુવાને આ પગલું ભરી લીધું હતું.બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે બંને સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, લોઠડામાં રહેતા કનુભાઈ ભીખાભાઈ મેટાળીયા(ઉ.વ 54) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં લોઠડામાં જ રહેતા અશોક કાનાભાઈ મકવાણા અને અજય જેરામભાઈ મેણીયાના નામ આપ્યા છે. કનુભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં દિનેશ વચેટ હતો જેના લગ્ન વાદીપરાની આશા સાથે થયા હતા જે લગ્નજીવન થકી તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે એકાદ વર્ષ પૂર્વે તેના છૂટાછેડા થઈ ગયા હતા.
ગત તા. 23/2 ના રોજ ફરિયાદી તેના પત્ની લાભુબેન અને દિનેશ ઘરે હતા ત્યારે બપોરના 2:00 વાગ્યા આસપાસ અહીં શેરીમાં આગળ રહેતા અશોક કાનાભાઈ મકવાણા (ઉ.વ 40) ઘરે આવ્યા હતા અને દિનેશને કહ્યું હતું કે, તું અમારે ત્યાં કામે કેમ નથી આવતો બાદમાં દિનેશે કહ્યું હતું કે મારી તબિયત સારી નથી જેથી તેને બહાર આવવાનું કહ્યું હતું બાદમાં બે કલાક પછી દિનેશ ઘરે આવ્યો ત્યારે એકદમ ગભરાયેલો હોય તુરંત સૂઈ ગયો હતો. રાત્રિના તે રાડારાડી કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે અશોકભાઈ અને અજયભાઈ મને જીવવા નહીં દે મને મારી નાખશે તેવું બોલતો હતો જેથી ફરિયાદીએ દીકરાને આશ્વાસન આપ્યું હતું.
ત્યારબાદ તા. 24/2 ના સવારના 9:30 વાગ્યા આસપાસ ફરી દિનેશના રૂમમાંથી રાડારાડીનો અવાજ આવતા ફરિયાદી અને તેના પત્ની અહીં જઈ જોતા દિનેશ જ મંદિરમાં રાખેલી છરીના બે થી ત્રણ ઘા પેટના ભાગે મારી દીધા હતા અને લોહી લુહાણ થઈ પડ્યો હતો બાદમાં તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ દરમિયાન દિનેશએ પિતાને વાત કરી હતી કે હું અને પ્રવીણ સામંતભાઈ પરમાર બંને અશોકભાઈને ત્યાં મજૂરી કામ કરતા હતા અજય મેણીયાએ અમને બંને ધમકી આપી હતી કે મારે ત્યાં મજૂરી કામે આવતા જાઓ નહિતર બંનેને જીવતા નહીં રહેવા દઉં અને તારીખ 15/2 ના અજય છરી બતાવી ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી અજયના ડરથી મેં અશોકભાઈને ત્યાં મજૂરી કામ જવાનું છોડી દીધું હતું જેથી અશોકભાઈએ આવી ધમકી આપી હતી કે, તું અજય મેણીયાને ત્યાં મજૂરી કામે જઈશ તો હું તને જીવતો નહીં રહેવા દઉં આમ બંનેના ત્રાસથી હું કંટાળી ગયો છું અને જેથી મેં આ પગલું ભર્યું છે.
સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું બાદમાં પરિવારજનો ધાર્મિક વિધિમાં રોકાયા હોય જે પૂર્ણ થયા બાદ મૃતકના પિતાએ લોઠડાના અશોક મકવાણા અને અજય મેણીયા વિરુદ્ધ તેના પુત્રને મજબૂર કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે.યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે અજય અને અશોક બંને દારૂના ધંધાર્થી હોય જે યુવાનને તેની સાથે કામ કરવા માટે દબાણ કરતા હતાં. જે ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ગુનો જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech