જામનગર નજીક બાઇકની ટકકરમાં એક યુવાનનું મૃત્યુ

  • August 07, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેડ ગામેથી પરત ફરતા ચોકલેટના કારખાના પાસે કાળ ભેટયો : ભરાણાના શખ્સ સામે ફરીયાદ : જોલી બંગલા પાસે એસટી-બાઇક અકસ્માતમાં એકને ફ્રેકચર


જામનગર નજીક ચોકલેટના કારખાના સામે ગઇકાલે બે બાઇક વચ્ચે ટકકર થતા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ છે, જયારે જામનગરના એસટી બસ સ્ટેશન રોડ, જોલી બંગલા પાસે પાંચ દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં એસટી બસના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


આ અંગેની વિગત મુજબ સુરેશભાઇ પુનાભાઇ મકવાણા (ઉ.વ.33) નામનો યુવાન પોતાનું મોટરસાયકલ નં. જીજે10ડીએસ-2451 લઇને ગઇકાલે ફરીયાદી અર્જુનભાઇને મુકવા માટે બેડ ગામે ગયા હતા અને ત્યાથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા દરમ્યાન જામનગર ખંભાળીયા હાઇવે ચોકલેટના કારખાના સામે પહોચતા ભરાણા ગામના સાજીદ નામના શખ્સે પોતાની કાળા કલરની નંબરપ્લેટ વીનાની મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સુરેશભાઇના બાઇકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.


આ અકસ્માતમાં સુરેશભાઇને રોડ પર પછાડી દેતા માથાની પાછળ અને શરીના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવારમાં લાવતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. દરમ્યાન આ બનાવ અંગે બેડ ગામમાં રહેતા અર્જુન વિનોદભાઇ સોમાણીએ સિકકા પોલીસ સ્ટેશનમાં ભરાણા ગામના સાજીદ મામદ ભટ્ટી નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.


બીજા બનાવમાં જામનગરના હિમાલય સોસાયટી પાસે રહેતા સંજય પુંજાભાઇ મહીડા (ઉ.વ.35) નામના યુવાને ગઇકાલે સીટી-એમાં એસટી બસ નં. જીજે18ઝેડ-6411ના ચાલક રમેશ પીઠીયાની સામે ફરીયાદ કરી હતી. ગત તા. 2ના રોજ ફરીયાદી પોતાનું મોટરસાયકલ નં. જીજે10બીઇ-3529 લઇને જતા હતા ત્યારે જોલી બંગલા પાસે બસના ચાલકે બેદરકારી અને પુરઝડપે ચલાવી એકદમ નજીક આવી જતા મોટરસાયકલ સ્લીપ થતા ફરીયાદીની બાઇકની પાછળ બેઠેલ હનુભા સતાજી જાડેજાના બંને પગ પર ટાયર ફેરવી દઇ ફ્રેકચર તથા પાંસડીમાં ઇજા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application