રાજકોટમાં વધુ એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. શહેરની ભાગોળે સરધાર ગામ પાસે જીનીંગ કારખાનામાં કામ કરનાર પરપ્રાંતીય યુવાન આજરોજ સવારના સુમારે બેભાન થઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે સરધાર ગામ નજીક આવેલા કિસાન જિનિંગ મિલ કારખાનામાં કામ કરનાર મૂળ છોટે ઉદેપુરનો વતની રંગલા રામસિંગભાઈ રાઠવા(ઉ.વ 35) નામનો યુવાન આજરોજ સવારના સુમારે અહીં બેભાન થઈ જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાન ત્રણ ભાઈ ત્રણ બહેનના પરિવારમાં નાનો હતો તેને સંતાનમાં બે પુત્રી છે મૂળ છોટે ઉદેપુરનો વતની યુવાન છેલ્લા સાતેક વર્ષથી અહીં જિનિંગ મિલમાં મજૂરી કામ કરતો હોવાનું પડ્યું છે. પ્રાથમિક તારણ મુજબ હૃદય રોગના હુમલાથી યુવાનનું મોત થયું હોવાનું માલુમ પડ્યું છે.
જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતો શૈલેષ ધીરૂભાઈ મેસરીયા(ઉ.વ 40) નામનો યુવાન સવારના સુમારે ઘરે બેભાન થઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નિવૃત તે પૂર્વે યુવાનનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન ચાર ભાઈ એક બહેનના પરિવારમાં વચેટ હતો તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે યુવાન કલર કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. યુવાનને છેલ્લા ઘણા સમયથી લીવરની બીમારી હોય અને છેલ્લા ઘણા દિવસોથી પથારીવશ હતો બિમારી સબબ યુવાનનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech