માણાવદર તાલુકાના નાનડીયા ગામના રહીશ ગોરધનભાઈ આરદેશણાના ૩૦ વર્ષીય પુત્ર ગુંજનભાઈ આરદેશણાએ પોતાની વાડીમાં કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર ઝેરી અસર થવાના કારણે યુવાનનું મૃત્યુ થયું હતું.આ અંગે મૃતકના પિતા ગોરધનભાઈએ માણાવદર પોલીસ મથકે સત્તાવાર જાણ કરી હતી. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભયુ તે અંગે એ.એસ.આઈ. વી.બી.જલુ વધુ તપાસ ચલાવી રહ્યા છે