ભાવનગર -સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ખાસ કરીને તળાજા ના ધારડી થી તળાજા સુધીના માર્ગ પર નેશનલ ઓથોરિટી ની બે દરકારી ના કારણે રખડુ ખૂંટીયાઓ ના કારણે દાઠા નજીકના વાટલીયા અને બોરડા ગામના બાઈક સવાર યુવાનો નો ખૂંટીયા સાથે અકસ્માત થતા વાટલીયા ગામના યુવાનનું મોત નીપજ્યું હતું.જયારે બોરડા ના એક યુવાનની સ્થિતિ ગંભીર ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની મળતી વિગતો મુજબ દાઠા ના વાટલીયા ગામના અને બોરવેલ ના વ્યવસાય સાથે સંકળાયેલા દેવરાજસિંહ તખુભા સરવૈયા(ઉ.વ.૩૮) તથા બોરડા ગામના વિશાલ વેજાભાઈ શિયાળ બંને બાઈક પર સવાર થઈને વેળાવદર થી તળાજા તરફ આવી રહ્યા હતા.તે સમયે શેત્રુંજી નદીના પુલ પહેલા રોડપર
ખૂંટિયો આવી જતા તેની સાથે અકસ્માત થતા દેવરાજસિંહ સરવૈયા નું સ્થળ પરજ મોત નિપજેલ.જ્યારે વિશાલ શિયાળ ને ભાવનગર ખસેડેલ જયાં તેની સ્થિતિ ગંભીર દર્શાવાઈ રહી છે. મૃતક દેવરાજસિંહ ને ત્રણ દીકરીઓ અને એક દીકરો મળી ચાર સંતાન છે.તેમજ પત્ની નું દોઢેક વર્ષ પૂર્વે કેન્સર ના કારણે મૃત્યુ થયું હતું. રખડતા ખુંટીયાના કારણે ચાર સંતાનો એ પિતા ની છત્ર છાયા ગુમાવતા ભારે અરેરાટી ફેલાઈ હતી.
આ અંગે મૃતક દેવરાજસિંહના કૌટુંબિક ભાઈ સિધ્ધરાજસિંહ પ્રવીણસિંહ સરવૈયા (ઉ. વ. ૩૯, રે. વાટલીયા, તા. તળાજા, જિ. ભાવનગર)નું નિવેદન નોંધી તળાજા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PM100 અને 200 રૂપિયાને લઈને RBIનો મોટો આદેશ, બેંકોમાં હડકંપ
April 28, 2025 10:21 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech