ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યુવાનનું બાઈક અકસ્માતે સ્લીપ થતા ડિવાઈડર સાથે અથડાતા સરવારમાં સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સરવાર દરમિયાન મોત થયું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગરના તળાજા પાસે આવેલા વેળાવદર ગામના પાટિયા પાસે બાઈક પર જઈ રહેલા ગોપલભાઈ જગદીશભાઈ પરમાર (ઉ.વ.૨૩, રહે.અંજલી રેસી. પટેલ પાર્ક ૨, કાળીયાબીડ) અને વૈભવભાઈ પ્રવીણભાઈ બારડ કોઈ કામ અર્થે તળાજાના વેળાવદાર નજીક બાઈક પર જઈ રહ્યા હતા. જે દરમિયાન અકસ્માતે બાઈક સ્લીપ થઇ જતા બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. અને બાઈક સવાર બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં ગોપાલભાઈનું સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે વૈભવભાઈને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે સરવારમાં રખાયા હતા. જે બનાવ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા નોંધ કરી જરૂરી કેસ કાગળો તળાજા પોલીસ ખાતે મોકલાવી આપી મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી પોલોસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech