મારા મોતનું કારણ વ્યાજવાળા છે, મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો...સુસાઈડ નોટ લખી યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

  • January 29, 2025 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વધુ એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. યુવાને આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે રડી રહ્યો છે અને બોલે છે કે, ‘મારી બધી બહેનોને જય માતાજી... મને માફ કરજો, આ મારો છેલ્લો વીડિયો છે. બાદમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસને યુવાને લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. 


પ્રાપ્ત વિગત મુજબ, અલ્પેશ સાકરિયા નામના યુવાને બાલભવન નજીક ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. અલ્પેશે આપઘાત કરતા પહેલા એક વીડિયો સુસાઈડ અને એક સુસાઈડ નોટ લખી છે. જે પરિવારના ગ્રુપમાં પોસ્ટ કરી હતી. વીડિયોમાં તે પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે. સુસાઈડ નોટમાં વ્યાજખોરીમાં ફસાય ગયો હોવાથી આપઘાત કરું છું તેવો ઉલ્લેખ કર્યો છે. 


યુવાને લખેલી સુસાઈડ નોટ વાંચો અક્ષરશઃ
મારા મોતનું કારણ નીચે છે જે વ્યાજવાળા છે. મેં બધાને મૂડી કરતા પણ વધારે રૂપિયા આપી દીધા છે. પણ હવે મારી પાસે રૂપિયા નથી. થાકી ગયો છું, મારા મર્યા પછી પણ રૂપિયા નથી આપી શકું તેમ, મારું જીવન ગુમાવું છું. કાયદો જીવતો હશે તો મને ન્યાય મળશે.

યુવાને વ્યાજખોરોના નામ લખ્યા છે
યુવાને સુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામ લખ્યા છે. જેમાં કોની પાસેથી કેટલા ટકા વ્યાજે રૂપિયા લીધા છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમજ સુસાઈડ નોટમાં આ બધાને રૂપિયા આપી દીધા છે તેવું પણ લખ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application