નવાગામ ઘેડમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • May 16, 2023 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કામ નહીં મળતા પગલું ભર્યુ : શોકની લાગણી
જામનગરના નવાગામ ઘેડ પંચાયત ઓફીસની બાજુમાં રહેતા એકલવાયુ જીવન જીવતા યુવાનને ઘણા સમયથી કામ મળતું ન હોય આથી ગઇકાલે ઘરે ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધુ હતું.
નવાગામ ઘેડ પંચાયત ઓફીસની બાજુમાં રહેતા રમેશ સોમાભાઇ મકવાણા (ઉ.વ.૩૫) નામનો કોળી યુવાન એકલવાયુ જીવન જીવતો હોય અને છેલ્લા ઘણા સમયથી કામ મળતું ન હોય દરમ્યાનમાં પોતાન મેળે ગઇકાલે ઘરે આડીમાં સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, આ અંગેની જાણ અહીં રહેતા નિલેશભાઇ મકવાણા દ્વારા સીટી-બી ડીવીઝનમાં કરવામાં આવતા પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
**
*તામસી સ્વભાવના યુવાને ઝેરી ટીકડા ખાઈને આપઘાત કર્યો
ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા માલુભાઈ રાજાભાઈ રુડાચ નામના યુવાન તામસી સ્વભાવના હોય, તેઓ અવારનવાર કહેતા કે "મારે મારી પત્ની પાસે જતું રહેવું છે" તેમ કહી, સોમવારે તેમણે પોતાના હાથે કેશોદ ગામની સીમમાં જઈ અને ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ આવળદાનભાઈ માલુભાઈ રૂડાચએ અહીંની પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application