પત્ની રીસામણે ચાલી જતા મનમાં લાગી આવવાથી પગલુ ભર્યુ
કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે વાડીએ રહેતા યુવાને જંતુનાશક દવા પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે, મૃતકની પત્ની રીસામણે ચાલી જતા આ બાબતનું મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.
મુળ મઘ્યપ્રદેશના જાંબવા જીલ્લાના માછલાજીર ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે દીલાભાઇની વાડીએ રહેતા વિનુભાઇ થાવુભાઇ બાબેરીયા (ઉ.વ.20) નામના શ્રમિક યુવાનની પત્ની રીસામણ તેના માવતરના ઘરે જતા રહયા હોય અને તેણી પતી સાથે જવા માંગતા ન હોવાનું જણાવ્યુ હતું.
જે બાબતનું વિનુભાઇને મનમાં લાગી આવતા પોતાની મેળે તા. 21ના વાડીએ જંતુનાશક દવા પી લેતા દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મોટી નાગાજણ ગામમાં રહેતા સેનીયાભાઇ બાબેરીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા જાહેર થયેલી વિગતોના આધરે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech