ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં મકાનમાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનને વીજ શોક લગતા સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. યુવાનના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નજીક આવેલા સિદસર ગામે ૨૫ વારીયા, મેઘાણીનગરમાં રહેતા હિતેશભાઈ જગદિશભાઈ બાંભણીયા (ઉ.વ. ૨૨) છૂટક મજૂરી કરતો હોય અને જે કામ અર્થે શિશુવિહાર વિસ્તારમાં આવેલા જ્યુબીન-૨ ફ્લેટની બાજુના બંગલામાં સફાઈ કામ કરી રહ્યા હતા. તે વેળાએ તેઓને અચાનક ઈલેકટ્રીક શોક લાગતા તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના ડોકટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. જે બનાવની જાણ થતા શ્રમિકના પરિવારજનો સર ટી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાવ અનુસંધાને હોસ્પિટલ પોલીસ ચોકીએ કેસ કાગળ કરી ઘોઘારોડ પોલીસને મોકલાવી આપી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMજૂનાગઢ જેલમાંથી હિરલબાનો કબ્જો લઇને થશે ઉંડાણથી પૂછપરછ
May 16, 2025 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech