જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાંથી વન્ય જીવ શિયાળ ઘાયલ અવસ્થામાં મળ્યું

  • July 10, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વન્યજીવને રેસ્ક્યુ કરી લઈ સારવાર માટે એનિમલ હોસ્પિટલમાં લઈ જવાયું

જામનગરના હર્ષદમિલ ની ચાલી વિસ્તારમાં વરસાદી વાતાવરણની વચ્ચે એક વન્યજીવ (શિયાળ) ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. જે અંગેની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ની ટીમે રેસ્ક્યુ કરી લીધું છે, અને સારવાર માટે એનિમલ હોસ્પિટલમાં લઈ જવાયું છે.
જામનગરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયમાં વન્યજીવ શિયાળ (જેકલ) ઘાયલ અવસ્થામાં આવી જતાં તેની જાણ ફોરેસ્ટ વિભાગના કંટ્રોલ માં કરાઈ હતી.
જેથી નાયબ વન સંરક્ષક ની સૂચના થી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડો.રાજન જાદવ ના માર્ગદર્શન મુજબ રેસ્ક્યુઅર કમલેશ પીંડારીયા, નરેશ સાદીયા, અને આનંદ પ્રજાપતિ વગેરેએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી જઇ શિયાળને સહી-સલામત રીતે રેસ્ક્યુ ઓપરેશન કરી સારવાર માટે એનિમલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application