મંગળ પર જીવનની શોધ લાંબા સમયથી વૈજ્ઞાનિકો માટે એક મહત્વપૂર્ણ અને રોમાંચક વિષય છે. જો કે, મંગળની સપાટી પરની પરિસ્થિતિઓ માનવ જીવન માટે અત્યંત કઠોર અને પ્રતિકૂળ માનવામાં આવે છે. આમાં નબળું વાતાવરણ, ખૂબ ઠંડુ તાપમાન અને રેડિયેશનનો સમાવેશ થાય છે. પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો માને છે કે આ ગ્રહની સપાટીની નીચે જીવનના સંકેતો હોઈ શકે છે. ઘણા નિષ્ણાંતો એવું પણ માને છે કે મંગળ પર ભૂતકાળમાં જીવન હોવું જોઈએ.
મંગળ ગ્રહની સપાટી નીચે મિથેન ગેસનો સ્ત્રોત હોઈ શકે તે જાણવા માટે વૈજ્ઞાનિકો હજુ પણ પ્રયાસ કરી રહ્યા છે. આ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે અને જો તે જીવન સાથે સંબંધિત છે. તો તે મંગળ પર જીવનની સંભાવનાનો સંકેત આપી શકે છે. તાજેતરમાં એક વૈજ્ઞાનિક ચર્ચા દરમિયાન એક વિચિત્ર દાવો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મંગળની સપાટીની નીચે મિથેન ગેસની હાજરીનું કારણ ભૂગર્ભ નાની ગાય હોઈ શકે છે. કારણ કે, પૃથ્વી પર મિથેન ગેસના ઉત્સર્જનમાં પશુઓનો મોટો ફાળો છે અને તે સાબિત પણ થયું છે.
મંગળ પર મિથેનનો મુદ્દો કોર્નેલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી લિસા કાલ્ટેનેગર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર ક્રિસ લિંટોટ વચ્ચે ચર્ચાયો હતો. આ દરમિયાન લિંટોટે કહ્યું કે મંગળ પર ક્યુરિયોસિટી રોવર દ્વારા મિથેનની શોધ કરવામાં આવી છે અને આ ગેસ સંભવતઃ સપાટીની નીચેથી આવી રહ્યો છે.
જ્યારે કાલ્ટેનેગરે પૂછ્યું કે શું મિથેન ભૂગર્ભ ગાયમાંથી હોઈ શકે છે, ત્યારે લિન્ટોટે જવાબ આપ્યો કે મંગળની સપાટીની નીચે છુપાયેલી 'નાની ગાયો' હોઈ શકે છે. જો કે, લિન્ટોટે આ ટિપ્પણી ગંભીર વૈજ્ઞાનિક દાવા તરીકે નહીં, પરંતુ હળવા દિલની મજાક તરીકે કરી હતી.
લિન્ટોટે એ પણ સ્વીકાર્યું કે મિથેનના અન્ય સંભવિત સ્ત્રોતો હોઈ શકે છે. જેમ કે ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ, ગરમી અથવા રાસાયણિક પ્રતિક્રિયાઓ. મંગળ પર જીવનની પુષ્ટિ કરવા માટે વધુ ચોક્કસ સંશોધનની જરૂર છે. આ ઘટના એ હકીકતનું ઉદાહરણ છે કે વિજ્ઞાનમાં ક્યારેક રમૂજનું સ્થાન હોઈ શકે છે. પરંતુ વૈજ્ઞાનિક સંશોધન હંમેશા નક્કર પુરાવા અને તથ્યો પર આધારિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech